મહારાષ્ટ્રમાં માનસિક રૂપથી બિમાર છોકરી પર થયો બળાત્કાર, પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 14:15:41

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક માનસિક રીતે બિમાર છોકરી દુષ્કર્મનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપરમાં બની હતી. ત્રણ સગીર છોકરાઓએ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. છોકરી જ્યારે શૌચાલય જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. છોકરાઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. છોકરાને હિરાસતમાં લઈ તેમને સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.  


વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો શેર 

અનેક છોકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. અનેક વખત સગીરાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો કોઈ વખત સગીર દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઘાટકોપરમાં બની છે. માનસિક રીતે બિમાર છોકરીને ત્રણ સગીર છોકરાઓએ નિશાન બનાવી હતી. શૌચાલય જઈ રહી તે દરમિયાન છોકરાઓએ તેને પકડી લીધી અને શૌચાલયમાં આ દુષ્કૃત્ય કર્યું હતું. આરોપીએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


પોલીસે કરી રહી છે ઘટના અંગે તપાસ  

વીડિયો વાયરલ થતા આ વીડિયો છોકરીના ભાઈ પાસે પહોંચ્યો. જે બાદ આ ઘટના અંગે ભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા છોકરીના પરિવારે આ અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ પોલીસે એક સગીર આરોપીને હિરાસતમાં લીધો છે. અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.