મહારાષ્ટ્રમાં માનસિક રૂપથી બિમાર છોકરી પર થયો બળાત્કાર, પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 14:15:41

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક માનસિક રીતે બિમાર છોકરી દુષ્કર્મનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપરમાં બની હતી. ત્રણ સગીર છોકરાઓએ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. છોકરી જ્યારે શૌચાલય જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. છોકરાઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. છોકરાને હિરાસતમાં લઈ તેમને સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.  


વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો શેર 

અનેક છોકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. અનેક વખત સગીરાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો કોઈ વખત સગીર દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઘાટકોપરમાં બની છે. માનસિક રીતે બિમાર છોકરીને ત્રણ સગીર છોકરાઓએ નિશાન બનાવી હતી. શૌચાલય જઈ રહી તે દરમિયાન છોકરાઓએ તેને પકડી લીધી અને શૌચાલયમાં આ દુષ્કૃત્ય કર્યું હતું. આરોપીએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


પોલીસે કરી રહી છે ઘટના અંગે તપાસ  

વીડિયો વાયરલ થતા આ વીડિયો છોકરીના ભાઈ પાસે પહોંચ્યો. જે બાદ આ ઘટના અંગે ભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા છોકરીના પરિવારે આ અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ પોલીસે એક સગીર આરોપીને હિરાસતમાં લીધો છે. અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.