મહારાષ્ટ્રમાં માનસિક રૂપથી બિમાર છોકરી પર થયો બળાત્કાર, પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 14:15:41

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક માનસિક રીતે બિમાર છોકરી દુષ્કર્મનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપરમાં બની હતી. ત્રણ સગીર છોકરાઓએ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. છોકરી જ્યારે શૌચાલય જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. છોકરાઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. છોકરાને હિરાસતમાં લઈ તેમને સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.  


વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો શેર 

અનેક છોકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. અનેક વખત સગીરાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો કોઈ વખત સગીર દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઘાટકોપરમાં બની છે. માનસિક રીતે બિમાર છોકરીને ત્રણ સગીર છોકરાઓએ નિશાન બનાવી હતી. શૌચાલય જઈ રહી તે દરમિયાન છોકરાઓએ તેને પકડી લીધી અને શૌચાલયમાં આ દુષ્કૃત્ય કર્યું હતું. આરોપીએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


પોલીસે કરી રહી છે ઘટના અંગે તપાસ  

વીડિયો વાયરલ થતા આ વીડિયો છોકરીના ભાઈ પાસે પહોંચ્યો. જે બાદ આ ઘટના અંગે ભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા છોકરીના પરિવારે આ અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ પોલીસે એક સગીર આરોપીને હિરાસતમાં લીધો છે. અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.