મહારાષ્ટ્રમાં માનસિક રૂપથી બિમાર છોકરી પર થયો બળાત્કાર, પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 14:15:41

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક માનસિક રીતે બિમાર છોકરી દુષ્કર્મનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપરમાં બની હતી. ત્રણ સગીર છોકરાઓએ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. છોકરી જ્યારે શૌચાલય જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. છોકરાઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. છોકરાને હિરાસતમાં લઈ તેમને સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.  


વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો શેર 

અનેક છોકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. અનેક વખત સગીરાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો કોઈ વખત સગીર દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઘાટકોપરમાં બની છે. માનસિક રીતે બિમાર છોકરીને ત્રણ સગીર છોકરાઓએ નિશાન બનાવી હતી. શૌચાલય જઈ રહી તે દરમિયાન છોકરાઓએ તેને પકડી લીધી અને શૌચાલયમાં આ દુષ્કૃત્ય કર્યું હતું. આરોપીએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


પોલીસે કરી રહી છે ઘટના અંગે તપાસ  

વીડિયો વાયરલ થતા આ વીડિયો છોકરીના ભાઈ પાસે પહોંચ્યો. જે બાદ આ ઘટના અંગે ભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા છોકરીના પરિવારે આ અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ પોલીસે એક સગીર આરોપીને હિરાસતમાં લીધો છે. અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.