અમરેલીમાં મુસ્લિમ પરિવારે બનાવ્યું રામ મંદિર! તાઉતે વાવાઝોડામાં મંદિરને થયું હતું નુકસાન તો મુસ્લિમ પરિવારે કરાવ્યો જીણોધ્ધાર !


  • Published By :
  • Published Date : 2023-05-16 12:03:54

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. અનેક મંદિરો એવા છે જેની ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જે સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરે છે. વાત એમ છે કે મુસ્લિમ પરિવારે  રામ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો છે. રામ મંદિરનો જીણોધ્ધાર મુસ્લિમ પરિવાર દ્વારા કરાવામાં આવ્યો છે. આ પહેલા પણ આ મંદિર મુસ્લિમ સમાજની જમીન પર બનાવામાં આવ્યું હતું.


મુસ્લિમ પરિવારે રામ મંદિરનો કરાવ્યો જીણોધ્ધર! 

આપણે જ્યારે હિંદુ મુસ્લિમ અંગેની વાત કરીએ અથવા તો સમાચાર સાંભળીએ તો આપણી આંખોમાં જે તસવીરો આવે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અમરેલીથી એક ઘટના સામે આવી છે જે આપણી ધારણાને ખોટી સાબિત કરશે. અમરેલી જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવાની બાબત સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે, જે મંદિર બે વર્ષ પહેલાં તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. વર્ષ 2021માં આવેલા ચક્રવાતમાં આ મંદિરને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ બે વર્ષ પછી તે ભવ્ય સ્વરૂપમાં પાછું બનાવવામાં આવ્યું છે. અને તે મુસ્લિમ સમુદાયે આ વાત શકય બનાવી છે 


રામ મંદિર બનાવા મુસ્લિમ પરિવારે આપી હતી જમીન!

અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં આ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ સમયે આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તાઉતે તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યારે તાઉતે ચક્રવાતમાં મંદિરને નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી દાઉદભાઈ લાલીયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?