અમરેલીમાં મુસ્લિમ પરિવારે બનાવ્યું રામ મંદિર! તાઉતે વાવાઝોડામાં મંદિરને થયું હતું નુકસાન તો મુસ્લિમ પરિવારે કરાવ્યો જીણોધ્ધાર !


  • Published By :
  • Published Date : 2023-05-16 12:03:54

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. અનેક મંદિરો એવા છે જેની ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જે સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરે છે. વાત એમ છે કે મુસ્લિમ પરિવારે  રામ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો છે. રામ મંદિરનો જીણોધ્ધાર મુસ્લિમ પરિવાર દ્વારા કરાવામાં આવ્યો છે. આ પહેલા પણ આ મંદિર મુસ્લિમ સમાજની જમીન પર બનાવામાં આવ્યું હતું.


મુસ્લિમ પરિવારે રામ મંદિરનો કરાવ્યો જીણોધ્ધર! 

આપણે જ્યારે હિંદુ મુસ્લિમ અંગેની વાત કરીએ અથવા તો સમાચાર સાંભળીએ તો આપણી આંખોમાં જે તસવીરો આવે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અમરેલીથી એક ઘટના સામે આવી છે જે આપણી ધારણાને ખોટી સાબિત કરશે. અમરેલી જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવાની બાબત સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે, જે મંદિર બે વર્ષ પહેલાં તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. વર્ષ 2021માં આવેલા ચક્રવાતમાં આ મંદિરને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ બે વર્ષ પછી તે ભવ્ય સ્વરૂપમાં પાછું બનાવવામાં આવ્યું છે. અને તે મુસ્લિમ સમુદાયે આ વાત શકય બનાવી છે 


રામ મંદિર બનાવા મુસ્લિમ પરિવારે આપી હતી જમીન!

અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં આ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ સમયે આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તાઉતે તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યારે તાઉતે ચક્રવાતમાં મંદિરને નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી દાઉદભાઈ લાલીયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે