છોટાઉદેપુરના કવાંટમાં તીરથી પડોશી ઉપર કરાયો હુમલો, મગજ-આંખની નસો સુધી પહોંચ્યું તીર


  • Published By :
  • Published Date : 2023-03-11 13:37:40

હુમલા થવાની ઘટનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતને લઈ લોકો જીવલેણ હુમલા કરી રહ્યા છે. કોઈ તલવારથી વાર કરે છે તો કોઈ ગોળીથી વાર કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. જેમાં પડોશીએ તીર દ્વારા દિલીપભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. આજે પણ આદિવાસી લોકો તીર કામઠાનો ઉપયોગ કરી રહ્યા છે. 


તીર વડે કરાયો પાડોશી પર હુમલો 

એક તરફ સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હુમલા થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો હુમલો કરી જીવ લઈ રહ્યા છે. હુમલાવરો કોઈ વખત ચપ્પાના ઘા મારે તો કોઈ વખત બંદૂકના સહારે હુમલો કરવામાં આવતો હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ પર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં પડોશીએ જ પોતાના પડોશી પર ધનુષ તીર વડે હુમલો કરવામાં આવ્યો છે.


તીર વાગતા મગજના ભાગે પહોંચી ઈજા 

આ ઘટના 9 માર્ચના રોજ બની હતી. છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ત્યારે કવાંટ પાસે આવેલા ઉગલીયા ગામમાં પડોશીએ પડોશી પર તીર ધનુષ વડે હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના 9 માર્ચે બની હતી. તીરના હુમલાને કારણે તીર તેમના કપાળના ભાગે વાગી ગયું હતું. આંખને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તીરને કારણે મગજમાં ઈજા પહોંચી હતી. સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.