છોટાઉદેપુરના કવાંટમાં તીરથી પડોશી ઉપર કરાયો હુમલો, મગજ-આંખની નસો સુધી પહોંચ્યું તીર


  • Published By :
  • Published Date : 2023-03-11 13:37:40

હુમલા થવાની ઘટનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતને લઈ લોકો જીવલેણ હુમલા કરી રહ્યા છે. કોઈ તલવારથી વાર કરે છે તો કોઈ ગોળીથી વાર કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. જેમાં પડોશીએ તીર દ્વારા દિલીપભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. આજે પણ આદિવાસી લોકો તીર કામઠાનો ઉપયોગ કરી રહ્યા છે. 


તીર વડે કરાયો પાડોશી પર હુમલો 

એક તરફ સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હુમલા થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો હુમલો કરી જીવ લઈ રહ્યા છે. હુમલાવરો કોઈ વખત ચપ્પાના ઘા મારે તો કોઈ વખત બંદૂકના સહારે હુમલો કરવામાં આવતો હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ પર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં પડોશીએ જ પોતાના પડોશી પર ધનુષ તીર વડે હુમલો કરવામાં આવ્યો છે.


તીર વાગતા મગજના ભાગે પહોંચી ઈજા 

આ ઘટના 9 માર્ચના રોજ બની હતી. છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ત્યારે કવાંટ પાસે આવેલા ઉગલીયા ગામમાં પડોશીએ પડોશી પર તીર ધનુષ વડે હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના 9 માર્ચે બની હતી. તીરના હુમલાને કારણે તીર તેમના કપાળના ભાગે વાગી ગયું હતું. આંખને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તીરને કારણે મગજમાં ઈજા પહોંચી હતી. સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો છે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.