છોટાઉદેપુરના કવાંટમાં તીરથી પડોશી ઉપર કરાયો હુમલો, મગજ-આંખની નસો સુધી પહોંચ્યું તીર


  • Published By :
  • Published Date : 2023-03-11 13:37:40

હુમલા થવાની ઘટનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતને લઈ લોકો જીવલેણ હુમલા કરી રહ્યા છે. કોઈ તલવારથી વાર કરે છે તો કોઈ ગોળીથી વાર કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. જેમાં પડોશીએ તીર દ્વારા દિલીપભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. આજે પણ આદિવાસી લોકો તીર કામઠાનો ઉપયોગ કરી રહ્યા છે. 


તીર વડે કરાયો પાડોશી પર હુમલો 

એક તરફ સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હુમલા થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો હુમલો કરી જીવ લઈ રહ્યા છે. હુમલાવરો કોઈ વખત ચપ્પાના ઘા મારે તો કોઈ વખત બંદૂકના સહારે હુમલો કરવામાં આવતો હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ પર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં પડોશીએ જ પોતાના પડોશી પર ધનુષ તીર વડે હુમલો કરવામાં આવ્યો છે.


તીર વાગતા મગજના ભાગે પહોંચી ઈજા 

આ ઘટના 9 માર્ચના રોજ બની હતી. છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ત્યારે કવાંટ પાસે આવેલા ઉગલીયા ગામમાં પડોશીએ પડોશી પર તીર ધનુષ વડે હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના 9 માર્ચે બની હતી. તીરના હુમલાને કારણે તીર તેમના કપાળના ભાગે વાગી ગયું હતું. આંખને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તીરને કારણે મગજમાં ઈજા પહોંચી હતી. સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.