પોલીસનો નવતર અભિગમ, ચાર રસ્તા પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે લગાવાઈ મેટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-24 14:56:21

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.. કાળઝાળ ગરમીથી લોકોને રક્ષણ મળે તે માટે અમદાવાદના ચાર રસ્તાઓ પર મેટ લગાવવામાં આવી છે... ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.. પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.. કમેન્ટમાં અનેક લોકોએ લખ્યું છે સિગ્નલનો ટાઈમ થોડો ઘટાડવો જોઈએ..તો કોઈએ જગ્યા સજેસ્ટ કરી છે કે આ જગ્યા પર વધારે ટ્રાફિક હોય છે.. 

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તાપમાન 47 નજીક પહોંચવા આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજી વધારે વધશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. લોકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે લોકો રસ્તા પર વાહન લઈને જતા હોય અને સિગ્નલ બંધ હોય ત્યારે ગરમીમાં ઉભા રહેવું પડતું હોય છે. 



અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો 

વૃક્ષો તો બહુ છે નહીં કે જેના છાંયડામાં આપણે ઉભા રહીએ ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવ્યા છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે... 


અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

મહત્વનું છે પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો થાય છે. અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું લાગે છે. આશા રાખીએ કે આવી વ્યવસ્થા અનેક ચાર રસ્તાઓ પર કરવામાં આવે.. તાપમાનની વાત કરીએ તો એનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.