પોલીસનો નવતર અભિગમ, ચાર રસ્તા પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે લગાવાઈ મેટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-24 14:56:21

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.. કાળઝાળ ગરમીથી લોકોને રક્ષણ મળે તે માટે અમદાવાદના ચાર રસ્તાઓ પર મેટ લગાવવામાં આવી છે... ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.. પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.. કમેન્ટમાં અનેક લોકોએ લખ્યું છે સિગ્નલનો ટાઈમ થોડો ઘટાડવો જોઈએ..તો કોઈએ જગ્યા સજેસ્ટ કરી છે કે આ જગ્યા પર વધારે ટ્રાફિક હોય છે.. 

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તાપમાન 47 નજીક પહોંચવા આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજી વધારે વધશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. લોકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે લોકો રસ્તા પર વાહન લઈને જતા હોય અને સિગ્નલ બંધ હોય ત્યારે ગરમીમાં ઉભા રહેવું પડતું હોય છે. 



અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો 

વૃક્ષો તો બહુ છે નહીં કે જેના છાંયડામાં આપણે ઉભા રહીએ ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવ્યા છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે... 


અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

મહત્વનું છે પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો થાય છે. અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું લાગે છે. આશા રાખીએ કે આવી વ્યવસ્થા અનેક ચાર રસ્તાઓ પર કરવામાં આવે.. તાપમાનની વાત કરીએ તો એનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે