પોલીસનો નવતર અભિગમ, ચાર રસ્તા પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે લગાવાઈ મેટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-24 14:56:21

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.. કાળઝાળ ગરમીથી લોકોને રક્ષણ મળે તે માટે અમદાવાદના ચાર રસ્તાઓ પર મેટ લગાવવામાં આવી છે... ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.. પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.. કમેન્ટમાં અનેક લોકોએ લખ્યું છે સિગ્નલનો ટાઈમ થોડો ઘટાડવો જોઈએ..તો કોઈએ જગ્યા સજેસ્ટ કરી છે કે આ જગ્યા પર વધારે ટ્રાફિક હોય છે.. 

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તાપમાન 47 નજીક પહોંચવા આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજી વધારે વધશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. લોકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે લોકો રસ્તા પર વાહન લઈને જતા હોય અને સિગ્નલ બંધ હોય ત્યારે ગરમીમાં ઉભા રહેવું પડતું હોય છે. 



અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો 

વૃક્ષો તો બહુ છે નહીં કે જેના છાંયડામાં આપણે ઉભા રહીએ ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવ્યા છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે... 


અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

મહત્વનું છે પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો થાય છે. અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું લાગે છે. આશા રાખીએ કે આવી વ્યવસ્થા અનેક ચાર રસ્તાઓ પર કરવામાં આવે.. તાપમાનની વાત કરીએ તો એનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.   




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.