કર્ણાટકના શિવપુરાના કેબલ બ્રિજ પર મુસાફરે કાર ચઢાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 11:51:42

ગુજરાતના મોરબીની દુર્ઘટનાના દુઃખમાંથી હજુ દેશ ઉભો નથી થયો અને કર્ણાટકના શિવપુરા ખાતેથી એક ફોટો વાયરલ થયો છે જેમાં એક મુસાફરે ચાલવા માટેના કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી છે. આવડી મોટી દુર્ઘટનામાંથી આપણે કંઈ નથી શીખી રહ્યા એ દુઃખદ બાબત છે. 


લોકો કાર ચાલક પર બગડ્યા

કર્ણાટકના શિવપુરા ખાતે પ્રવાસીએ પેડેસ્ટ્રિયન કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી હતી. પુલ પર ચાલતા લોકો કાર ચાલકના ગાંડપણ પર ભડક્યા હતા અને કાર ચાલકને પાઠ શીખવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રવાસી મહારાષ્ટ્રના હતા અને ફરવા માટે આવેલા હતા. પ્રવાસીની મારુતી 800 કાર પર પણ મહારાષ્ટ્રનું પાર્સિંગ જોવા મળે છે. કર્ણાટક પોલીસ પણ આ પ્રવાસી પર ફરિયાદ કરવાનું વિચારી રહી છે કારણ કે આ કેબલ બ્રિજ માત્ર પદયાત્રીઓ માટે જ છે. બીજી બાજુ આ પ્રવાસી કાર લઈને બ્રિજ પર ઘૂસી આવ્યા હતા. 

ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલ પર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. વિદેશમાંથી પણ આ દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એક આપણે છીએ કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "જે પોતાનો ઈતિહાસ નથી જાણતું તે ઈતિહાસ નથી બનાવી શકતું". આપણે આપણી ભૂલથી કંઈક શીખવું પડશે બાકી આપણને જ મોંઘુ પડી શકે છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.