કર્ણાટકના શિવપુરાના કેબલ બ્રિજ પર મુસાફરે કાર ચઢાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 11:51:42

ગુજરાતના મોરબીની દુર્ઘટનાના દુઃખમાંથી હજુ દેશ ઉભો નથી થયો અને કર્ણાટકના શિવપુરા ખાતેથી એક ફોટો વાયરલ થયો છે જેમાં એક મુસાફરે ચાલવા માટેના કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી છે. આવડી મોટી દુર્ઘટનામાંથી આપણે કંઈ નથી શીખી રહ્યા એ દુઃખદ બાબત છે. 


લોકો કાર ચાલક પર બગડ્યા

કર્ણાટકના શિવપુરા ખાતે પ્રવાસીએ પેડેસ્ટ્રિયન કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી હતી. પુલ પર ચાલતા લોકો કાર ચાલકના ગાંડપણ પર ભડક્યા હતા અને કાર ચાલકને પાઠ શીખવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રવાસી મહારાષ્ટ્રના હતા અને ફરવા માટે આવેલા હતા. પ્રવાસીની મારુતી 800 કાર પર પણ મહારાષ્ટ્રનું પાર્સિંગ જોવા મળે છે. કર્ણાટક પોલીસ પણ આ પ્રવાસી પર ફરિયાદ કરવાનું વિચારી રહી છે કારણ કે આ કેબલ બ્રિજ માત્ર પદયાત્રીઓ માટે જ છે. બીજી બાજુ આ પ્રવાસી કાર લઈને બ્રિજ પર ઘૂસી આવ્યા હતા. 

ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલ પર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. વિદેશમાંથી પણ આ દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એક આપણે છીએ કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "જે પોતાનો ઈતિહાસ નથી જાણતું તે ઈતિહાસ નથી બનાવી શકતું". આપણે આપણી ભૂલથી કંઈક શીખવું પડશે બાકી આપણને જ મોંઘુ પડી શકે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે