કર્ણાટકના શિવપુરાના કેબલ બ્રિજ પર મુસાફરે કાર ચઢાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 11:51:42

ગુજરાતના મોરબીની દુર્ઘટનાના દુઃખમાંથી હજુ દેશ ઉભો નથી થયો અને કર્ણાટકના શિવપુરા ખાતેથી એક ફોટો વાયરલ થયો છે જેમાં એક મુસાફરે ચાલવા માટેના કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી છે. આવડી મોટી દુર્ઘટનામાંથી આપણે કંઈ નથી શીખી રહ્યા એ દુઃખદ બાબત છે. 


લોકો કાર ચાલક પર બગડ્યા

કર્ણાટકના શિવપુરા ખાતે પ્રવાસીએ પેડેસ્ટ્રિયન કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી હતી. પુલ પર ચાલતા લોકો કાર ચાલકના ગાંડપણ પર ભડક્યા હતા અને કાર ચાલકને પાઠ શીખવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રવાસી મહારાષ્ટ્રના હતા અને ફરવા માટે આવેલા હતા. પ્રવાસીની મારુતી 800 કાર પર પણ મહારાષ્ટ્રનું પાર્સિંગ જોવા મળે છે. કર્ણાટક પોલીસ પણ આ પ્રવાસી પર ફરિયાદ કરવાનું વિચારી રહી છે કારણ કે આ કેબલ બ્રિજ માત્ર પદયાત્રીઓ માટે જ છે. બીજી બાજુ આ પ્રવાસી કાર લઈને બ્રિજ પર ઘૂસી આવ્યા હતા. 

ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલ પર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. વિદેશમાંથી પણ આ દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એક આપણે છીએ કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "જે પોતાનો ઈતિહાસ નથી જાણતું તે ઈતિહાસ નથી બનાવી શકતું". આપણે આપણી ભૂલથી કંઈક શીખવું પડશે બાકી આપણને જ મોંઘુ પડી શકે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.