ગુરૂગ્રામમાં એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે થયું મોત, પોલીસે હત્યાના એન્ગલથી શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 17:09:30

ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતોને ધ્યાનમાં રાખી લોકો મોટા મોટા ગુન્હાઓ કરી દેતા હોય છે. ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલો ચર્ચામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મુંબઈથી બે એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં રિવ ઈન રિપેશનશીપમાં ઝઘડો થતાં પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. ત્યારે એક કિસ્સો હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યો છે જેમાં ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. પોલીસે મોતને શંકાસ્પદ ગણીને હત્યા થઈ હોય તે એન્ગલથી તપાસ શરૂ કરી અને તેની લિવ ઈન રિલેશન પાર્ટનર વિરૂદ્ધ નોંધયો છે. 


ઈજાગસ્ત હાલતમાં સંદીપને હોસ્પિટલ ખસેડાયો 

આજની પેઢીના લોકોમાં લિવ ઈન રિલેશનશિપનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક એવા કપલ છે જે લિવ ઈનમાં રહે છે. પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં પાર્ટનરની હત્યા કરી દેવામાં આવી હોય. મુંબઈથી આવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે હવે આવા સમાચાર હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યા છે. પૂજા શર્મા નામની યુવતી પોતાના લિવ ઈન પાર્ટનરે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેનું નામ સંદીપ છે અને તેની લિવ ઈન પાર્ટનરનું નામ પૂજા છે. 


તરબૂચ કાપતી વખતે સર્જાઈ દુર્ઘટના!

સંદીપને છાતીના ભાગ પર ચપ્પુ વાગ્યું હતું અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસને આ વાત શંકાસ્પદ લાગતા આ મામલામાં હત્યાનો એન્ગલ લાવી તપાસ આરંભી હતી. સંદીપના લિવ ઈન પાર્ટનરની અટકાયત કરી લીધી છે. પૂછપરછ કરાતા પૂજાએ કહ્યું કે તરબૂચ કાપતી વખતે સંદીપની છાતીમાં છરી વાગી હતી જેને કારણે સંદીપને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું          




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.