ગુરૂગ્રામમાં એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે થયું મોત, પોલીસે હત્યાના એન્ગલથી શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 17:09:30

ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતોને ધ્યાનમાં રાખી લોકો મોટા મોટા ગુન્હાઓ કરી દેતા હોય છે. ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલો ચર્ચામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મુંબઈથી બે એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં રિવ ઈન રિપેશનશીપમાં ઝઘડો થતાં પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. ત્યારે એક કિસ્સો હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યો છે જેમાં ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. પોલીસે મોતને શંકાસ્પદ ગણીને હત્યા થઈ હોય તે એન્ગલથી તપાસ શરૂ કરી અને તેની લિવ ઈન રિલેશન પાર્ટનર વિરૂદ્ધ નોંધયો છે. 


ઈજાગસ્ત હાલતમાં સંદીપને હોસ્પિટલ ખસેડાયો 

આજની પેઢીના લોકોમાં લિવ ઈન રિલેશનશિપનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક એવા કપલ છે જે લિવ ઈનમાં રહે છે. પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં પાર્ટનરની હત્યા કરી દેવામાં આવી હોય. મુંબઈથી આવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે હવે આવા સમાચાર હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યા છે. પૂજા શર્મા નામની યુવતી પોતાના લિવ ઈન પાર્ટનરે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેનું નામ સંદીપ છે અને તેની લિવ ઈન પાર્ટનરનું નામ પૂજા છે. 


તરબૂચ કાપતી વખતે સર્જાઈ દુર્ઘટના!

સંદીપને છાતીના ભાગ પર ચપ્પુ વાગ્યું હતું અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસને આ વાત શંકાસ્પદ લાગતા આ મામલામાં હત્યાનો એન્ગલ લાવી તપાસ આરંભી હતી. સંદીપના લિવ ઈન પાર્ટનરની અટકાયત કરી લીધી છે. પૂછપરછ કરાતા પૂજાએ કહ્યું કે તરબૂચ કાપતી વખતે સંદીપની છાતીમાં છરી વાગી હતી જેને કારણે સંદીપને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું          




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .