ગુરૂગ્રામમાં એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે થયું મોત, પોલીસે હત્યાના એન્ગલથી શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 17:09:30

ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતોને ધ્યાનમાં રાખી લોકો મોટા મોટા ગુન્હાઓ કરી દેતા હોય છે. ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલો ચર્ચામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મુંબઈથી બે એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં રિવ ઈન રિપેશનશીપમાં ઝઘડો થતાં પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. ત્યારે એક કિસ્સો હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યો છે જેમાં ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. પોલીસે મોતને શંકાસ્પદ ગણીને હત્યા થઈ હોય તે એન્ગલથી તપાસ શરૂ કરી અને તેની લિવ ઈન રિલેશન પાર્ટનર વિરૂદ્ધ નોંધયો છે. 


ઈજાગસ્ત હાલતમાં સંદીપને હોસ્પિટલ ખસેડાયો 

આજની પેઢીના લોકોમાં લિવ ઈન રિલેશનશિપનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક એવા કપલ છે જે લિવ ઈનમાં રહે છે. પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં પાર્ટનરની હત્યા કરી દેવામાં આવી હોય. મુંબઈથી આવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે હવે આવા સમાચાર હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યા છે. પૂજા શર્મા નામની યુવતી પોતાના લિવ ઈન પાર્ટનરે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેનું નામ સંદીપ છે અને તેની લિવ ઈન પાર્ટનરનું નામ પૂજા છે. 


તરબૂચ કાપતી વખતે સર્જાઈ દુર્ઘટના!

સંદીપને છાતીના ભાગ પર ચપ્પુ વાગ્યું હતું અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસને આ વાત શંકાસ્પદ લાગતા આ મામલામાં હત્યાનો એન્ગલ લાવી તપાસ આરંભી હતી. સંદીપના લિવ ઈન પાર્ટનરની અટકાયત કરી લીધી છે. પૂછપરછ કરાતા પૂજાએ કહ્યું કે તરબૂચ કાપતી વખતે સંદીપની છાતીમાં છરી વાગી હતી જેને કારણે સંદીપને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું          




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.