નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા આ અગાઉ , ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે , ચોટીલામાં જે પણ હોટેલોમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટેલોની સામે , કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા ' સીટી પેલેસ હોટેલ ' અને ' બાલાજી હોટેલ ' માં ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું આ પછી નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા , બંને હોટેલોના માલિકોને Immoral Traffic (Prevention) Act, 1956 ની કલમ 18(1) હેઠળ હોટલો સીલ, ક્લોઝર નોટિસ ફટકારાઈ છે. ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય તો તેની જાણ કરવા અપીલ પણ કરી છે.






.jpg)








