એચ ટી મકવાણાએ ચોટીલામાં દેહવ્યાપાર કરતી હોટેલોની સામે કરી કડક કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-31 19:02:54

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે. 

Deputy Collector H.T. Makwana Crushes Billion-Rupee Coal Racket in Chotila

નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા આ અગાઉ , ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે , ચોટીલામાં જે પણ હોટેલોમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટેલોની સામે , કડક કાર્યવાહી કરવામાં આવી છે.  આ પછી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા ' સીટી પેલેસ હોટેલ ' અને ' બાલાજી હોટેલ ' માં ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું આ પછી નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા , બંને હોટેલોના માલિકોને Immoral Traffic (Prevention) Act, 1956 ની કલમ 18(1) હેઠળ હોટલો સીલ, ક્લોઝર નોટિસ ફટકારાઈ છે.  ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય તો તેની જાણ કરવા અપીલ પણ કરી છે.




અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.