એચ ટી મકવાણાએ ચોટીલામાં દેહવ્યાપાર કરતી હોટેલોની સામે કરી કડક કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-31 19:02:54

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે. 

Deputy Collector H.T. Makwana Crushes Billion-Rupee Coal Racket in Chotila

નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા આ અગાઉ , ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે , ચોટીલામાં જે પણ હોટેલોમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટેલોની સામે , કડક કાર્યવાહી કરવામાં આવી છે.  આ પછી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા ' સીટી પેલેસ હોટેલ ' અને ' બાલાજી હોટેલ ' માં ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું આ પછી નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા , બંને હોટેલોના માલિકોને Immoral Traffic (Prevention) Act, 1956 ની કલમ 18(1) હેઠળ હોટલો સીલ, ક્લોઝર નોટિસ ફટકારાઈ છે.  ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય તો તેની જાણ કરવા અપીલ પણ કરી છે.




"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.