એચ ટી મકવાણાએ ચોટીલામાં દેહવ્યાપાર કરતી હોટેલોની સામે કરી કડક કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-31 19:02:54

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે. 

Deputy Collector H.T. Makwana Crushes Billion-Rupee Coal Racket in Chotila

નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા આ અગાઉ , ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે , ચોટીલામાં જે પણ હોટેલોમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટેલોની સામે , કડક કાર્યવાહી કરવામાં આવી છે.  આ પછી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા ' સીટી પેલેસ હોટેલ ' અને ' બાલાજી હોટેલ ' માં ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું આ પછી નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા , બંને હોટેલોના માલિકોને Immoral Traffic (Prevention) Act, 1956 ની કલમ 18(1) હેઠળ હોટલો સીલ, ક્લોઝર નોટિસ ફટકારાઈ છે.  ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય તો તેની જાણ કરવા અપીલ પણ કરી છે.




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.