Nadiyadમાં ડોક્ટરનો તોડ કરનાર બે મહિલા પત્રકાર સામે થઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:38:48

કહેવામાં આવે છે કે લોકતંત્રના ચાર સ્તંભ છે શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને મીડિયા. લોકતંત્રને જીવંત રાખવા ચારેય પોતાની રીતે પોતાનો ભાગ ભજવે છે અને લોકશાહીને ધબકતું રાખે છે. પણ અમુક બનાવો એવા સામે આવે છે જે ચારેયમાંથી કોઈ એક પર સવાલો ઉભા કરે છે. વાત આજે બે મહિલા પત્રકારની કહેવી છે જે પોતે પત્રકાર છે કહીને ડોક્ટરને દવાખાને આવી હતી અને ડોક્ટરને તું બોગસ ડોક્ટર છે કહીને દબાવવા લાગી હતી. ડોક્ટરે કહ્યું કે હું સાચો ડોક્ટર છું તો કહ્યું કે અમે તારા વિશે ખરાબ ખરાબ લખીશું બોલીશું અને તને બદનામ કરી દઈશું. છતાં પણ ડોક્ટર ડર્યા નહીં તો તેમના દવાખાને વિવિધ લોકો મોકલીને તેમને દબાણ કરવાનું શરું કરવામાં આવ્યું તો અંતે ડોક્ટરે કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા અને તોડબાજ પત્રકારો સામે ફરિયાદ કરી દીધી અને હવે તે જેલ હવાલે છે.  


ક્લિનિક પર મહિલા પત્રકાર બનીને આવેલી મહિલાએ કહ્યું કે તમારી ડિગ્રી ખોટી છે!

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરી તો ઘટના કંઈ એવી હતી કે રાહુલ ચાવડા કરીને નડિયાદમાં ડોક્ટર છે, જે ત્યાં જ રહે છે અને ત્યાં દવાખાનું ચલાવે છે. 24 જુલાઈના દિવસે બપોરે લગભગ બે વાગ્યા નજીક તેમની ક્લિકનિક પર ડોક્ટર અને તેમના કમ્પાઉન્ડર હાજર હતા. તે સમયે બે મહિલાઓ પત્રકાર છીએ એવું કહીને આવે છે અને ડોક્ટરને કહેવા લાગે છે કે તમે બોગસ ડોક્ટર છો. તમારી પાસે ડોક્ટરની જે ડિગ્રી છે એ ખોટી છે. જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે મેં બીએચએમએસ અને ડીએચએમસીનો અભ્યાસ મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટીમાંથી કર્યો છે. ડોક્ટરે કહ્યું કે મારો રજિસ્ટ્રેશન નંબર આ છે અને દોઢ વર્ષથી દવાખાનું ચલાવું છું. 


પત્રકાર બનેલી મહિલાએ ડોક્ટર પાસેથી પડાવ્યા પૈસા!

તો પણ બે મહિલા પત્રકારોએ કહ્યું કે તમે બોગસ ડિગ્રી અને બોગસ રજિસ્ટ્રેશનથી દવાખાનું ચલાવો છો તો ડોક્ટરે પોતાનું નોંધણીનું પ્રમાણપત્ર દેખાડ્યું. બંને પત્રકાર મહિલાઓ ઓછી ન ઉતરી અને ડોક્ટરને દબાવા લાગી કે અમે તમને બદનામ કરી દઈશું. ડોક્ટર ડરી ગયા હતા તો તેમણે પોતાની પાસે હતા એ પચ્ચીસો રૂપિયા આપી દીધા અને પારૂલ પટેલ અને શબનમ મલેક નામની પત્રકાર મહિલાઓને જવા કહ્યું. બંને મહિલા ડોક્ટર પાસેથી રૂપિયા લઈને જતી રહી. 


વધારે પૈસા ઉઘરાવા ડોક્ટરને ત્યાં મોકલ્યા માણસો

ડોક્ટરને એમ કે ચાલો સારું થયું પણ એવું ન થયું. ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતી નામની ચેનલમાં કામ કરું છું કહીને જે બે મહિલા પત્રકાર ડોક્ટર પાસે આવી હતી તેણે પોતાના માણસો મોકલવાનું શરૂ કર્યું અને ડોક્ટરને હેરાન કરવાનું શરુ કર્યું. તેમણે સલીમ મલેક નામના વ્યક્તિને ડોક્ટર પાસે મોકલ્યા અને કહ્યું કે બાકીના રૂપિયા આપો પણ ડોક્ટરે કહ્યું કે હું કોઈ રૂપિયા નથી આપવાનો. 


ડોક્ટરે અંતે પોલીસ સ્ટેશનમાં મહિલાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ 

અંતે પારૂલ પટેલે ડોક્ટરને ફોન કર્યો અને ધમકાવવાનું શરૂ કર્યું કે રૂપિયા આપ બાકી તને બદનામ કરી દઈશું. તારા વીશે ખોટા સમાચાર ચલાવીશું અને તારી કારકિર્દી ખતમ કરી નાખીશું. અંતે ડોક્ટર ચકલાસી પોલીસ સ્ટેશન ગયા અને પારુલ રિમ્પુભાઈ પટેલ, શબનમ સાજીદભાઈ મલેક અને સરફરાજ ઉર્ફે સલીમ મલેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે ત્રણેય તોડબાજ લોકો સામે કલમ 384, કલમ 504 અને કલમ 114 હેઠળ ફરિયાદ નોંધી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.