Anand Nagar Police Stationનો એક પોલીસ અધિકારી ફૂલ પી ને ઢેં થયેલી હાલતમાં ઝડપાયો, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-21 11:07:08

ગુજરાતમાં દારૂબંદી છે આ વાક્ય જ્યારે વાંચતા હશે ત્યારે કટાક્ષ વાળી સ્માઈલ તમારા ચહેરા પર આવી જતી હશે.. એવું કહેશો કે આ વાત કહીને તમે મજાક કરી રહ્યા છો..! દારૂબંદીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. રોજે એટલા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં આ કાયદાનો ભંગ સરેઆમ થતો હોય છે. અનેક વખત તો જેની પર આ કાયદાનું પાલન કરવાની જવાબદારી હોય છે તે જ કાયદાનો ભંગ કરતા નજરે પડે છે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

પીધેલી હાલતમાં દેખાયો પોલીસકર્મી!

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ દારૂના નશામાં દેખાતો હોય છે. નશાની હાલતમાં તેને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યા છે. અનેક પોલીસકર્મીઓ પણ દારૂના નશામાં દેખાય છે. વર્દીમાં હોય અને પીધેલી હાલતમાં હોય તેવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે હશે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં ગાડીમાં પોલીસકર્મી પીને ઢેં થઈ ગયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સૂતેલા પોલીસ કર્મી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 


પોલીસની છબી આવા કિસ્સાઓથી થાય છે વધારે ખરાબ!

પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે પરંતુ અનેક વખત પોલીસકર્મી દ્વારા કરવામાં આવતો વ્યવહાર, પોલીસ કર્મીઓનો વાયરલ થતો વીડિયો આપણા મનમાં પોલીસની છબીને ખરાબ કરે છે. પોલીસને જોતા લાગે કે પોલીસ હમણાં દાદાગીરી કરશે ગેરવર્તન કરશે વગેરે વગેરે...! આવા પોલીસ હોય છે એની ના નહીં પરંતુ સારા પોલીસ પણ હોય છે જે પોલીસની છબીને સારી રાખતા હોય છે. તેમને જોઈ આપણો અભિગમ પોલીસ પ્રત્યે બદલાઈ જાય. પ્રશ્ન એ થાય કે જેની પર સુરક્ષાની જવાબદારી છે, કાયદાનું પાલન કરાવાની જવાબદારી છે તે જ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરશે તો પોલીસની છબી વધારે ખરાબ થશે તે નક્કી છે! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.