Ahmedabadમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, પોલીસકર્મીને કરાયો ટ્રાફિક પોલીસના હવાલે, જાણો ક્યાં સર્જાયો અકસ્માત?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:02:31

અકસ્માત થવો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા છે. બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનોને કારણે અનેક પરિવાર પોતાના સભ્યને ગુમાવે છે. આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં એક અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. અને જે વ્યક્તિથી આ અકસ્માત સર્જાયો છે તે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાઘેલા છે. પ્રાથમિક માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો.  

News18 Gujarati

અકસ્માતમાં ટળી જાનહાની!

અમદાવાદમાં નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. ગાડી સ્પીડમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી માહિતી મળી છે. અને જે વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે નથી આવી પરંતુ પોલીસ કોન્સ્ટેબલની ગાડીને નુકસાન થયું છે. 

News18 Gujarati


પોલીસ કોન્સ્ટેબલને કરાયો ટ્રાફિક પોલીસને હવાલે!

લોકો દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે પોલીસ કર્મી નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં હાજર થઈ ગયા. સ્થાનિકો સાથે બોલાચાલી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે. પોલીસકર્મીને ટ્રાફિક પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 


કાયદાનું પાલન કરાવનાર અનેક વખત કરે છે કાયદાનો ભંગ!

મહત્વનું છે કે જેમની પર  કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ જો કાયદાનો ભંગ કરશે તો? અનેક વખત હેલ્મેટ વગર વાહન ચલાવતા આપણે પોલીસકર્મી દેખાય છે તો કોઈ વખત તોડ કરતા પોલીસકર્મી દેખાય છે! ત્યારે આજે ફરી એક વખત પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની માહિતી  સામે આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.