કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવાતા ગુજરાતમાં શરૂ થયો પોસ્ટર વોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર જોર-શોરથી કરી રહી છે.  ભાજપ પણ આ અંગે ઘણી ગંભીર છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડોદરા ખાતે તેઓ આપનો પ્ર્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર વોર શરૂ થયો છે. અરવિંદ કેજરીવાલનું પોસ્ટર લાગેલું છે જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહી, બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં. 

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

આપના ચૂંટણી પ્રચાર વચ્ચે થયો આપનો વિરોધ  

અનેક જગ્યાઓ પર આપ પ્રચાર કરી રહ્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આપના પ્રચાર દરમિયાન, ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર આ પ્રકારના પોસ્ટર લાગેલા છે. આ પોસ્ટર આપ નેતાનો વિડીયો વાયરલ થયા બાદ લગાવવામાં આવ્યા છે. દિલ્હીના મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામુહિક ધર્મ પરિવર્તન કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. આવા પોસ્ટર લગાવાતા ગુજરાતની રાજનીતિમાં ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. લગાવામાં આવેલા પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં. આવા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આવા પોસ્ટર લગાવવામાં આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.     

 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .