કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવાતા ગુજરાતમાં શરૂ થયો પોસ્ટર વોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર જોર-શોરથી કરી રહી છે.  ભાજપ પણ આ અંગે ઘણી ગંભીર છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડોદરા ખાતે તેઓ આપનો પ્ર્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર વોર શરૂ થયો છે. અરવિંદ કેજરીવાલનું પોસ્ટર લાગેલું છે જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહી, બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં. 

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

આપના ચૂંટણી પ્રચાર વચ્ચે થયો આપનો વિરોધ  

અનેક જગ્યાઓ પર આપ પ્રચાર કરી રહ્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આપના પ્રચાર દરમિયાન, ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર આ પ્રકારના પોસ્ટર લાગેલા છે. આ પોસ્ટર આપ નેતાનો વિડીયો વાયરલ થયા બાદ લગાવવામાં આવ્યા છે. દિલ્હીના મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામુહિક ધર્મ પરિવર્તન કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. આવા પોસ્ટર લગાવાતા ગુજરાતની રાજનીતિમાં ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. લગાવામાં આવેલા પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં. આવા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આવા પોસ્ટર લગાવવામાં આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.     

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.