વાવાઝોડાનું સંકટ નજીક આવતા ભોળેનાથને કરાઈ પ્રાર્થના! જૂના સોમનાથ મંદિરમાં બ્રાહ્મણોએ કરી વિશેષ પૂજા!


  • Published By :
  • Published Date : 2023-06-13 12:43:29

ગુજરાત પર બિપોરજોયનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. વાવાઝોડાનું સંકટ દરિયાકિનારાઓ પર સૌથી વધારે તોળાઈ રહ્યું છે. સોમનાથથી પણ દરિયાના દ્રશ્યો સામે આવ્યા હતા જે ભયાનક હતા. દરિયો ગાંડો બન્યો હતો. ત્યારે સંકટમાંથી રાજ્યની રક્ષા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવ ભક્તો તેમજ રાજ્ય પર કૃપા કરે તે માટે 21 જેટલા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.


સોમનાથ દાદાને કરાઈ પ્રાર્થના!   

કહેવાય છે કે દુ:ખમાં ભગવાન પહેલા યાદ આવતા હોય છે. ત્યારે ગુજરાત પર હાલ વાવાઝોડાનું મોટું સંકટ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે હવામાનમાં પણ ફેરફાર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયાકાંઠા વાળા વિસ્તારો પર જોવા મળી રહી છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. 21 બ્રાહ્મણો દ્વારા ભગવાનને રિઝવવા પાઠ કરવામાં આવ્યા હતા તે સિવાય જૂના સોમનાથ મંદિરમાં ભગવાન પર વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.         

       

આજે નહીં ફરકાવવામાં આવે ધ્વજા!

વાવાઝોડાને ધ્યાનમાં દ્વારકા મંદિરમાં પણ આજે ધ્વજા નહીં ફરકાવામાં તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે કે દ્વારકામાં એક સાથે બે ધ્વજા ફરકી હતી. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે દ્વારાધીશ આ સંકટનો અંત લાવશે.ગઈકાલે પણ ધારાસભ્યો દરિયા દેવની પૂજા કરતા દેખાયા હતા.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.