વાવાઝોડાનું સંકટ નજીક આવતા ભોળેનાથને કરાઈ પ્રાર્થના! જૂના સોમનાથ મંદિરમાં બ્રાહ્મણોએ કરી વિશેષ પૂજા!


  • Published By :
  • Published Date : 2023-06-13 12:43:29

ગુજરાત પર બિપોરજોયનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. વાવાઝોડાનું સંકટ દરિયાકિનારાઓ પર સૌથી વધારે તોળાઈ રહ્યું છે. સોમનાથથી પણ દરિયાના દ્રશ્યો સામે આવ્યા હતા જે ભયાનક હતા. દરિયો ગાંડો બન્યો હતો. ત્યારે સંકટમાંથી રાજ્યની રક્ષા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવ ભક્તો તેમજ રાજ્ય પર કૃપા કરે તે માટે 21 જેટલા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.


સોમનાથ દાદાને કરાઈ પ્રાર્થના!   

કહેવાય છે કે દુ:ખમાં ભગવાન પહેલા યાદ આવતા હોય છે. ત્યારે ગુજરાત પર હાલ વાવાઝોડાનું મોટું સંકટ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે હવામાનમાં પણ ફેરફાર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયાકાંઠા વાળા વિસ્તારો પર જોવા મળી રહી છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. 21 બ્રાહ્મણો દ્વારા ભગવાનને રિઝવવા પાઠ કરવામાં આવ્યા હતા તે સિવાય જૂના સોમનાથ મંદિરમાં ભગવાન પર વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.         

       

આજે નહીં ફરકાવવામાં આવે ધ્વજા!

વાવાઝોડાને ધ્યાનમાં દ્વારકા મંદિરમાં પણ આજે ધ્વજા નહીં ફરકાવામાં તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે કે દ્વારકામાં એક સાથે બે ધ્વજા ફરકી હતી. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે દ્વારાધીશ આ સંકટનો અંત લાવશે.ગઈકાલે પણ ધારાસભ્યો દરિયા દેવની પૂજા કરતા દેખાયા હતા.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.