વાવાઝોડાનું સંકટ નજીક આવતા ભોળેનાથને કરાઈ પ્રાર્થના! જૂના સોમનાથ મંદિરમાં બ્રાહ્મણોએ કરી વિશેષ પૂજા!


  • Published By :
  • Published Date : 2023-06-13 12:43:29

ગુજરાત પર બિપોરજોયનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. વાવાઝોડાનું સંકટ દરિયાકિનારાઓ પર સૌથી વધારે તોળાઈ રહ્યું છે. સોમનાથથી પણ દરિયાના દ્રશ્યો સામે આવ્યા હતા જે ભયાનક હતા. દરિયો ગાંડો બન્યો હતો. ત્યારે સંકટમાંથી રાજ્યની રક્ષા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવ ભક્તો તેમજ રાજ્ય પર કૃપા કરે તે માટે 21 જેટલા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.


સોમનાથ દાદાને કરાઈ પ્રાર્થના!   

કહેવાય છે કે દુ:ખમાં ભગવાન પહેલા યાદ આવતા હોય છે. ત્યારે ગુજરાત પર હાલ વાવાઝોડાનું મોટું સંકટ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે હવામાનમાં પણ ફેરફાર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયાકાંઠા વાળા વિસ્તારો પર જોવા મળી રહી છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. 21 બ્રાહ્મણો દ્વારા ભગવાનને રિઝવવા પાઠ કરવામાં આવ્યા હતા તે સિવાય જૂના સોમનાથ મંદિરમાં ભગવાન પર વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.         

       

આજે નહીં ફરકાવવામાં આવે ધ્વજા!

વાવાઝોડાને ધ્યાનમાં દ્વારકા મંદિરમાં પણ આજે ધ્વજા નહીં ફરકાવામાં તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે કે દ્વારકામાં એક સાથે બે ધ્વજા ફરકી હતી. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે દ્વારાધીશ આ સંકટનો અંત લાવશે.ગઈકાલે પણ ધારાસભ્યો દરિયા દેવની પૂજા કરતા દેખાયા હતા.    



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?