વાવાઝોડાનું સંકટ નજીક આવતા ભોળેનાથને કરાઈ પ્રાર્થના! જૂના સોમનાથ મંદિરમાં બ્રાહ્મણોએ કરી વિશેષ પૂજા!


  • Published By :
  • Published Date : 2023-06-13 12:43:29

ગુજરાત પર બિપોરજોયનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. વાવાઝોડાનું સંકટ દરિયાકિનારાઓ પર સૌથી વધારે તોળાઈ રહ્યું છે. સોમનાથથી પણ દરિયાના દ્રશ્યો સામે આવ્યા હતા જે ભયાનક હતા. દરિયો ગાંડો બન્યો હતો. ત્યારે સંકટમાંથી રાજ્યની રક્ષા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવ ભક્તો તેમજ રાજ્ય પર કૃપા કરે તે માટે 21 જેટલા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.


સોમનાથ દાદાને કરાઈ પ્રાર્થના!   

કહેવાય છે કે દુ:ખમાં ભગવાન પહેલા યાદ આવતા હોય છે. ત્યારે ગુજરાત પર હાલ વાવાઝોડાનું મોટું સંકટ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે હવામાનમાં પણ ફેરફાર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયાકાંઠા વાળા વિસ્તારો પર જોવા મળી રહી છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. 21 બ્રાહ્મણો દ્વારા ભગવાનને રિઝવવા પાઠ કરવામાં આવ્યા હતા તે સિવાય જૂના સોમનાથ મંદિરમાં ભગવાન પર વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.         

       

આજે નહીં ફરકાવવામાં આવે ધ્વજા!

વાવાઝોડાને ધ્યાનમાં દ્વારકા મંદિરમાં પણ આજે ધ્વજા નહીં ફરકાવામાં તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે કે દ્વારકામાં એક સાથે બે ધ્વજા ફરકી હતી. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે દ્વારાધીશ આ સંકટનો અંત લાવશે.ગઈકાલે પણ ધારાસભ્યો દરિયા દેવની પૂજા કરતા દેખાયા હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.