Suratથી સામે આવ્યો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાતમા માળની ગેલેરીમાં બાળક રમતું હતું, થોડી મિનીટ રમ્યું અને પછી..


  • Published By :
  • Published Date : 2024-06-12 17:57:33

માતા પિતા દ્વારા કોઈ વખત રાખવામાં આવતી બેદરકારીની સજા બાળકને ભોગવવી પડે છે.. રમતા રમતા બાળક કઈ એવી વસ્તુ કરી બેસે છે જેના કારણે તેનું મોત પણ થઈ જાય છે. અનેક કિસ્સા આપણી સામે છે જેમાં બાળક સિક્કો ગળી ગયો હોય અથવા તો કઈ વસ્તુ ગળી ગયો હોય જેને કારણે તેને પોતાના જીવને ગુમાવવો પડે છે.. ત્યારે સુરતથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળથી પટકાતા બે વર્ષના માસુમ બાળકનું મોત થઈ ગયું છે. 


રમત રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકે છે..

બાળકો નાના હોય ત્યારે તેમની પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.. નાના બાળકોને ખબર ના હોય કે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય. રમતા રમતા બાળક એવી જગ્યા પર પહોંચી જાય છે અને તેની સાથે દુર્ઘટના સર્જાઈ જાય છે તેવી ઘટનાઓ આપણી સામે છે. રમત રમતમાં બાળક પોતાના જીવન સાથે રમત કરી જાય છે.. સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની છે જ્યાં બે વર્ષનું બાળક સાતમા માળેથી નીચે પટકાઈ જાય છે.. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પંરતુ તેનું મોત થઈ જાય છે..


સાતમા માળેથી નીચે પટકાયો બાળક અને થઈ ગયું મોત

જે માહિતી સામે આવી છે તે મુજબ હાઉસકીપિંગનું કામ કરતી માતા પોતાના બાળક સાથે બિલ્ડીંગમાં આવે છે. માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.માતા સાતમા માળે કામ કરી રહી હતી અને બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું.. અચાનક બાળક રેલિંગને ઓળંગી ગયો અને સાતમા માળેથી નીચે પટકાઈ ગયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વિચલીત કરી શકે તેમ છે. બાળકનું કરૂણ મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.