Suratથી સામે આવ્યો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાતમા માળની ગેલેરીમાં બાળક રમતું હતું, થોડી મિનીટ રમ્યું અને પછી..


  • Published By :
  • Published Date : 2024-06-12 17:57:33

માતા પિતા દ્વારા કોઈ વખત રાખવામાં આવતી બેદરકારીની સજા બાળકને ભોગવવી પડે છે.. રમતા રમતા બાળક કઈ એવી વસ્તુ કરી બેસે છે જેના કારણે તેનું મોત પણ થઈ જાય છે. અનેક કિસ્સા આપણી સામે છે જેમાં બાળક સિક્કો ગળી ગયો હોય અથવા તો કઈ વસ્તુ ગળી ગયો હોય જેને કારણે તેને પોતાના જીવને ગુમાવવો પડે છે.. ત્યારે સુરતથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળથી પટકાતા બે વર્ષના માસુમ બાળકનું મોત થઈ ગયું છે. 


રમત રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકે છે..

બાળકો નાના હોય ત્યારે તેમની પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.. નાના બાળકોને ખબર ના હોય કે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય. રમતા રમતા બાળક એવી જગ્યા પર પહોંચી જાય છે અને તેની સાથે દુર્ઘટના સર્જાઈ જાય છે તેવી ઘટનાઓ આપણી સામે છે. રમત રમતમાં બાળક પોતાના જીવન સાથે રમત કરી જાય છે.. સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની છે જ્યાં બે વર્ષનું બાળક સાતમા માળેથી નીચે પટકાઈ જાય છે.. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પંરતુ તેનું મોત થઈ જાય છે..


સાતમા માળેથી નીચે પટકાયો બાળક અને થઈ ગયું મોત

જે માહિતી સામે આવી છે તે મુજબ હાઉસકીપિંગનું કામ કરતી માતા પોતાના બાળક સાથે બિલ્ડીંગમાં આવે છે. માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.માતા સાતમા માળે કામ કરી રહી હતી અને બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું.. અચાનક બાળક રેલિંગને ઓળંગી ગયો અને સાતમા માળેથી નીચે પટકાઈ ગયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વિચલીત કરી શકે તેમ છે. બાળકનું કરૂણ મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.