Suratથી સામે આવ્યો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાતમા માળની ગેલેરીમાં બાળક રમતું હતું, થોડી મિનીટ રમ્યું અને પછી..


  • Published By :
  • Published Date : 2024-06-12 17:57:33

માતા પિતા દ્વારા કોઈ વખત રાખવામાં આવતી બેદરકારીની સજા બાળકને ભોગવવી પડે છે.. રમતા રમતા બાળક કઈ એવી વસ્તુ કરી બેસે છે જેના કારણે તેનું મોત પણ થઈ જાય છે. અનેક કિસ્સા આપણી સામે છે જેમાં બાળક સિક્કો ગળી ગયો હોય અથવા તો કઈ વસ્તુ ગળી ગયો હોય જેને કારણે તેને પોતાના જીવને ગુમાવવો પડે છે.. ત્યારે સુરતથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળથી પટકાતા બે વર્ષના માસુમ બાળકનું મોત થઈ ગયું છે. 


રમત રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકે છે..

બાળકો નાના હોય ત્યારે તેમની પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.. નાના બાળકોને ખબર ના હોય કે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય. રમતા રમતા બાળક એવી જગ્યા પર પહોંચી જાય છે અને તેની સાથે દુર્ઘટના સર્જાઈ જાય છે તેવી ઘટનાઓ આપણી સામે છે. રમત રમતમાં બાળક પોતાના જીવન સાથે રમત કરી જાય છે.. સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની છે જ્યાં બે વર્ષનું બાળક સાતમા માળેથી નીચે પટકાઈ જાય છે.. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પંરતુ તેનું મોત થઈ જાય છે..


સાતમા માળેથી નીચે પટકાયો બાળક અને થઈ ગયું મોત

જે માહિતી સામે આવી છે તે મુજબ હાઉસકીપિંગનું કામ કરતી માતા પોતાના બાળક સાથે બિલ્ડીંગમાં આવે છે. માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.માતા સાતમા માળે કામ કરી રહી હતી અને બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું.. અચાનક બાળક રેલિંગને ઓળંગી ગયો અને સાતમા માળેથી નીચે પટકાઈ ગયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વિચલીત કરી શકે તેમ છે. બાળકનું કરૂણ મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.