કોરોના કેસમાં નોંધાયો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 5 હજારથી વધુ કોરોના કેસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:28:17

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો આંકડો સતત વધતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા 5335 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 25,587 પર પહોંચી ગઈ છે.

     

ગઈકાલે નોંધાયા હતા 4 હજારથી વધુ કેસ 

એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો નોંધાતો હતો. પરંતુ થોડા દિવસોથી સંક્રમિતોનો આંકડો હજારોમાં આવી રહ્યો છે. ગઈકાલે કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કાલે આંકડો 4 હજારથી વધુનો નોંધાયો હતો. 4435 લોકો કોરોના સંક્રમિત થયા હતા ઉપરાંત 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. દેશના અનેક રાજ્યોમાંથી નોંધાતા કોરોના સંક્રમિતોના આંકડો ડરાવી રહ્યો છે.  


વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર થઈ એક્ટિવ  

કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. રાજ્યોને પણ કોરોના કેસ પર નજર રાખવા કહી દીધું છે. વધતા કોરોના કેસની પાછળ કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનને કારણે પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.