કોરોના કેસમાં નોંધાયો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 5 હજારથી વધુ કોરોના કેસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:28:17

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો આંકડો સતત વધતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા 5335 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 25,587 પર પહોંચી ગઈ છે.

     

ગઈકાલે નોંધાયા હતા 4 હજારથી વધુ કેસ 

એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો નોંધાતો હતો. પરંતુ થોડા દિવસોથી સંક્રમિતોનો આંકડો હજારોમાં આવી રહ્યો છે. ગઈકાલે કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કાલે આંકડો 4 હજારથી વધુનો નોંધાયો હતો. 4435 લોકો કોરોના સંક્રમિત થયા હતા ઉપરાંત 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. દેશના અનેક રાજ્યોમાંથી નોંધાતા કોરોના સંક્રમિતોના આંકડો ડરાવી રહ્યો છે.  


વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર થઈ એક્ટિવ  

કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. રાજ્યોને પણ કોરોના કેસ પર નજર રાખવા કહી દીધું છે. વધતા કોરોના કેસની પાછળ કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનને કારણે પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.