કોરોના કેસમાં નોંધાયો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 5 હજારથી વધુ કોરોના કેસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:28:17

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો આંકડો સતત વધતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા 5335 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 25,587 પર પહોંચી ગઈ છે.

     

ગઈકાલે નોંધાયા હતા 4 હજારથી વધુ કેસ 

એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો નોંધાતો હતો. પરંતુ થોડા દિવસોથી સંક્રમિતોનો આંકડો હજારોમાં આવી રહ્યો છે. ગઈકાલે કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કાલે આંકડો 4 હજારથી વધુનો નોંધાયો હતો. 4435 લોકો કોરોના સંક્રમિત થયા હતા ઉપરાંત 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. દેશના અનેક રાજ્યોમાંથી નોંધાતા કોરોના સંક્રમિતોના આંકડો ડરાવી રહ્યો છે.  


વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર થઈ એક્ટિવ  

કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. રાજ્યોને પણ કોરોના કેસ પર નજર રાખવા કહી દીધું છે. વધતા કોરોના કેસની પાછળ કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનને કારણે પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.