ચૂંટણી પહેલાં ભાજપ-AIMIM વચ્ચે ગુપ્ત મીટિંગ થતા સર્જાયા તર્ક-વિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:58:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત શાબ્દિક પ્રહારો થતા રહે છે. ત્યારે ફરી એક વખત આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મીડિયા રિપોર્ટનો સહારો લઈ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાઓ AIMIMના મુખ્યાલય પહોંચ્યા હતા ઉપરાંત સાબીર કાબલીવાળા સાથે બંધબારણે બેઠક યોજાઈ છે તેવી મીડિયા રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે.   


કેમ ઓવૈસી પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી - ઈસુદાન 

મીડિયાના અહેવાલ પ્રમાણે આસ્ટોડિયા ખાતે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ધર્મેન્દ્ર શાહે AIMIMના નેતાઓ સાથે ઓવૈસીના મુખ્યાલય ખાતે જઈ બેઠક કરી હતી. કોર્પોરેટર સાથે વાતચીત કર્યા બાદ સાબીર કાબલીવાળા જોડે પણ બેઠક કરી હતી. આ વાત પર ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે ભાજપ સત્તા મેળવવા કેટલી હદે જઈ શકે છે એનો આ પુરાવો છે. ઔવેસીને ભાજપ ભડકાઉ ભાષણો કરાવી એના વીડિયો કટિંગ ગ્રૂપમાં ફેરવી લોકોને ભરમાવવાનો પ્લાન કર્યો હશે.ઉપરાંત ભડકાઉ ભાષણને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા. ઓવૈસી ઉપર હજી સુધી ED,ITની રેડ નથી પડી. આટલા ભડકાઉ ભાષણ પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આ મુદ્દા પર ગોપાલ ઈટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. 



મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

આ વાતને લઈ મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર પ્રહાર કરતું ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે આ શું થઈ રહ્યું છે. બીજેપી અને AIMIM વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી? બીજેપી દેશને બતાવે આ બંને વચ્ચે શું ડિલ થઈ છે.

 

શું સાચે હાલમાં જ થઈ છે બેઠક ?

ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સાચે ભાજપના નેતાઓએ AIMIMના નેતાઓ સાથે બેઠક કરી હતી. શું આ મુલાકાત સાચે થોડા સમય પહેલાની છે. શું સાચે હાલમાં જ ભાજપના નેતાઓ અને સાબીર કાબલીવાળા વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી?  આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ ડિજિટલ મીડિયાનો જમાનો છે. જૂની વાતને પણ જો પીરસવામાં આવે તો તે પણ નવી લાગે છે.              



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.