ચૂંટણી પહેલાં ભાજપ-AIMIM વચ્ચે ગુપ્ત મીટિંગ થતા સર્જાયા તર્ક-વિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:58:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત શાબ્દિક પ્રહારો થતા રહે છે. ત્યારે ફરી એક વખત આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મીડિયા રિપોર્ટનો સહારો લઈ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાઓ AIMIMના મુખ્યાલય પહોંચ્યા હતા ઉપરાંત સાબીર કાબલીવાળા સાથે બંધબારણે બેઠક યોજાઈ છે તેવી મીડિયા રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે.   


કેમ ઓવૈસી પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી - ઈસુદાન 

મીડિયાના અહેવાલ પ્રમાણે આસ્ટોડિયા ખાતે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ધર્મેન્દ્ર શાહે AIMIMના નેતાઓ સાથે ઓવૈસીના મુખ્યાલય ખાતે જઈ બેઠક કરી હતી. કોર્પોરેટર સાથે વાતચીત કર્યા બાદ સાબીર કાબલીવાળા જોડે પણ બેઠક કરી હતી. આ વાત પર ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે ભાજપ સત્તા મેળવવા કેટલી હદે જઈ શકે છે એનો આ પુરાવો છે. ઔવેસીને ભાજપ ભડકાઉ ભાષણો કરાવી એના વીડિયો કટિંગ ગ્રૂપમાં ફેરવી લોકોને ભરમાવવાનો પ્લાન કર્યો હશે.ઉપરાંત ભડકાઉ ભાષણને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા. ઓવૈસી ઉપર હજી સુધી ED,ITની રેડ નથી પડી. આટલા ભડકાઉ ભાષણ પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આ મુદ્દા પર ગોપાલ ઈટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. 



મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

આ વાતને લઈ મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર પ્રહાર કરતું ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે આ શું થઈ રહ્યું છે. બીજેપી અને AIMIM વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી? બીજેપી દેશને બતાવે આ બંને વચ્ચે શું ડિલ થઈ છે.

 

શું સાચે હાલમાં જ થઈ છે બેઠક ?

ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સાચે ભાજપના નેતાઓએ AIMIMના નેતાઓ સાથે બેઠક કરી હતી. શું આ મુલાકાત સાચે થોડા સમય પહેલાની છે. શું સાચે હાલમાં જ ભાજપના નેતાઓ અને સાબીર કાબલીવાળા વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી?  આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ ડિજિટલ મીડિયાનો જમાનો છે. જૂની વાતને પણ જો પીરસવામાં આવે તો તે પણ નવી લાગે છે.              



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.