પોતાની ટ્વિટને લઈ ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા ચર્ચામાં! ભરત કાનાબારે કેમ લખ્યું 'ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!


  • Published By :
  • Published Date : 2023-06-19 11:59:07

કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડવામાં ઘણી વખત લોકોને સંકોચ થતો હોય છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાએ પોતાની સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. સરકારની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. તેમના દ્વારા કરવામાં આવતી ટ્વિટ હમેશાં ચર્ચાઓનો વિષય બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે નગરપાલિકાઓના કર્મચારીઓના બાકી રહેલા પગારને લઈ વાત કરી છે. ટ્વિટ કરી પોતાની જ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ખરી જાડી ચામડીના થઈ ગયા છીએ આપણે!



અનેક વખત પોતાની સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યો છે અવાજ!

ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારએ ટ્વિટ કરી પોતાની સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પોતાની ટ્વિટને લઈ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને લઈ તેમણે ટ્વિટ કર્યું છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!


પોતાની ટ્વિટમાં સીએમને કર્યા છે ટેગ!

મહત્વનું છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના, તેલના, દૂધ સહિતના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઘણું અઘરૂં હોય છે. અને તેમાં પણ જો અનેક મહિનાઓથી પગાર ન મળે તો ઘર ચલાવવું અધરૂં પડી જતું હોય છે. ત્યારે અનેક નગરપાલિકાઓ એવી છે જેમાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યા નથી. પોતાની ટ્વિટમાં તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરેલા છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.