પોતાની ટ્વિટને લઈ ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા ચર્ચામાં! ભરત કાનાબારે કેમ લખ્યું 'ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!


  • Published By :
  • Published Date : 2023-06-19 11:59:07

કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડવામાં ઘણી વખત લોકોને સંકોચ થતો હોય છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાએ પોતાની સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. સરકારની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. તેમના દ્વારા કરવામાં આવતી ટ્વિટ હમેશાં ચર્ચાઓનો વિષય બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે નગરપાલિકાઓના કર્મચારીઓના બાકી રહેલા પગારને લઈ વાત કરી છે. ટ્વિટ કરી પોતાની જ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ખરી જાડી ચામડીના થઈ ગયા છીએ આપણે!



અનેક વખત પોતાની સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યો છે અવાજ!

ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારએ ટ્વિટ કરી પોતાની સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પોતાની ટ્વિટને લઈ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને લઈ તેમણે ટ્વિટ કર્યું છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!


પોતાની ટ્વિટમાં સીએમને કર્યા છે ટેગ!

મહત્વનું છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના, તેલના, દૂધ સહિતના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઘણું અઘરૂં હોય છે. અને તેમાં પણ જો અનેક મહિનાઓથી પગાર ન મળે તો ઘર ચલાવવું અધરૂં પડી જતું હોય છે. ત્યારે અનેક નગરપાલિકાઓ એવી છે જેમાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યા નથી. પોતાની ટ્વિટમાં તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરેલા છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.