પોતાની ટ્વિટને લઈ ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા ચર્ચામાં! ભરત કાનાબારે કેમ લખ્યું 'ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!


  • Published By :
  • Published Date : 2023-06-19 11:59:07

કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડવામાં ઘણી વખત લોકોને સંકોચ થતો હોય છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાએ પોતાની સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. સરકારની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. તેમના દ્વારા કરવામાં આવતી ટ્વિટ હમેશાં ચર્ચાઓનો વિષય બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે નગરપાલિકાઓના કર્મચારીઓના બાકી રહેલા પગારને લઈ વાત કરી છે. ટ્વિટ કરી પોતાની જ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ખરી જાડી ચામડીના થઈ ગયા છીએ આપણે!



અનેક વખત પોતાની સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યો છે અવાજ!

ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારએ ટ્વિટ કરી પોતાની સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પોતાની ટ્વિટને લઈ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને લઈ તેમણે ટ્વિટ કર્યું છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!


પોતાની ટ્વિટમાં સીએમને કર્યા છે ટેગ!

મહત્વનું છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના, તેલના, દૂધ સહિતના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઘણું અઘરૂં હોય છે. અને તેમાં પણ જો અનેક મહિનાઓથી પગાર ન મળે તો ઘર ચલાવવું અધરૂં પડી જતું હોય છે. ત્યારે અનેક નગરપાલિકાઓ એવી છે જેમાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યા નથી. પોતાની ટ્વિટમાં તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરેલા છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.