પોતાની ટ્વિટને લઈ ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા ચર્ચામાં! ભરત કાનાબારે કેમ લખ્યું 'ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!


  • Published By :
  • Published Date : 2023-06-19 11:59:07

કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડવામાં ઘણી વખત લોકોને સંકોચ થતો હોય છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાએ પોતાની સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. સરકારની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. તેમના દ્વારા કરવામાં આવતી ટ્વિટ હમેશાં ચર્ચાઓનો વિષય બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે નગરપાલિકાઓના કર્મચારીઓના બાકી રહેલા પગારને લઈ વાત કરી છે. ટ્વિટ કરી પોતાની જ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ખરી જાડી ચામડીના થઈ ગયા છીએ આપણે!



અનેક વખત પોતાની સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યો છે અવાજ!

ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારએ ટ્વિટ કરી પોતાની સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પોતાની ટ્વિટને લઈ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને લઈ તેમણે ટ્વિટ કર્યું છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!


પોતાની ટ્વિટમાં સીએમને કર્યા છે ટેગ!

મહત્વનું છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના, તેલના, દૂધ સહિતના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઘણું અઘરૂં હોય છે. અને તેમાં પણ જો અનેક મહિનાઓથી પગાર ન મળે તો ઘર ચલાવવું અધરૂં પડી જતું હોય છે. ત્યારે અનેક નગરપાલિકાઓ એવી છે જેમાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યા નથી. પોતાની ટ્વિટમાં તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરેલા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.