રાજકોટના મવડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-11-14 16:53:15

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક ગોઝારો અકસ્માત રાજકોટના મવડી નજીક સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા. લોખંડના ટીપ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટના મવડી ગામ પાસે આવેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટીલાળા ચોક નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદથી જામનગર તરફ જતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત થવાને કારણે ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી.    




બે લોકોના નિપજ્યાં મોત

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવે છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે વહેલી સવારે ટીલાળા ચોક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લોખંડના ટીપ ભરેલ ટ્રકની ટક્કરે કાર અથડાતા બે લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતને પગલે તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.     





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"