રાજકોટના મવડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-11-14 16:53:15

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક ગોઝારો અકસ્માત રાજકોટના મવડી નજીક સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા. લોખંડના ટીપ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટના મવડી ગામ પાસે આવેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટીલાળા ચોક નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદથી જામનગર તરફ જતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત થવાને કારણે ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી.    




બે લોકોના નિપજ્યાં મોત

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવે છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે વહેલી સવારે ટીલાળા ચોક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લોખંડના ટીપ ભરેલ ટ્રકની ટક્કરે કાર અથડાતા બે લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતને પગલે તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.     





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.