કર્ણાટકમાં બન્યો અકસ્માતનો બનાવ, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-05 12:10:04

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. અનેક મોતને પણ ભેટી રહ્યા છે. બુધવાર રાતે કર્ણાટકમાં એક અકસ્માત થયો હતો જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચિનપુરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો અને 5 જેટલા લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા. 

આ અકસ્માતમાં થયા 5 લોકોના મોત 

કર્ણાટકના ચિંચનુર જિલ્લામાં એક વાહન ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે 5 જેટલા લોકોએ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર મરનાર લોકો શ્રદ્ધાળુઓ હતા અને તે લોકો સાવદત્તીના રેણુકા યલ્લ્મ્મા મંદિર જઈ રહ્યા હતા. વાહનચાલકે વાહન પરથી નિયંત્રણ છોઈ બેસતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્યના મંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.