કર્ણાટકમાં બન્યો અકસ્માતનો બનાવ, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-05 12:10:04

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. અનેક મોતને પણ ભેટી રહ્યા છે. બુધવાર રાતે કર્ણાટકમાં એક અકસ્માત થયો હતો જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચિનપુરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો અને 5 જેટલા લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા. 

આ અકસ્માતમાં થયા 5 લોકોના મોત 

કર્ણાટકના ચિંચનુર જિલ્લામાં એક વાહન ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે 5 જેટલા લોકોએ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર મરનાર લોકો શ્રદ્ધાળુઓ હતા અને તે લોકો સાવદત્તીના રેણુકા યલ્લ્મ્મા મંદિર જઈ રહ્યા હતા. વાહનચાલકે વાહન પરથી નિયંત્રણ છોઈ બેસતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્યના મંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.