કર્ણાટકમાં બન્યો અકસ્માતનો બનાવ, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-05 12:10:04

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. અનેક મોતને પણ ભેટી રહ્યા છે. બુધવાર રાતે કર્ણાટકમાં એક અકસ્માત થયો હતો જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચિનપુરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો અને 5 જેટલા લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા. 

આ અકસ્માતમાં થયા 5 લોકોના મોત 

કર્ણાટકના ચિંચનુર જિલ્લામાં એક વાહન ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે 5 જેટલા લોકોએ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર મરનાર લોકો શ્રદ્ધાળુઓ હતા અને તે લોકો સાવદત્તીના રેણુકા યલ્લ્મ્મા મંદિર જઈ રહ્યા હતા. વાહનચાલકે વાહન પરથી નિયંત્રણ છોઈ બેસતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્યના મંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.