કેરળમાં બન્યો ગંભીર અકસ્માત, ચાર લોકોના થયા ઘટનાસ્થળ પર મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 09:06:42

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત કેરળના અલપુઝ્ઝામાં બન્યો છે જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે પણ મોતને ભેટ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 

  

અકસ્માતમાં પાંચ લોકોના થયા મોત

દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકો પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માત કેરળમાં બન્યો છે જેમાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે બની હતી. ગાડી અને લોરી વચ્ચે ટક્કર થઈ હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.