કેરળમાં બન્યો ગંભીર અકસ્માત, ચાર લોકોના થયા ઘટનાસ્થળ પર મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 09:06:42

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત કેરળના અલપુઝ્ઝામાં બન્યો છે જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે પણ મોતને ભેટ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 

  

અકસ્માતમાં પાંચ લોકોના થયા મોત

દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકો પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માત કેરળમાં બન્યો છે જેમાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે બની હતી. ગાડી અને લોરી વચ્ચે ટક્કર થઈ હતી.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.