કેરળમાં બન્યો ગંભીર અકસ્માત, ચાર લોકોના થયા ઘટનાસ્થળ પર મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 09:06:42

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત કેરળના અલપુઝ્ઝામાં બન્યો છે જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે પણ મોતને ભેટ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 

  

અકસ્માતમાં પાંચ લોકોના થયા મોત

દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકો પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માત કેરળમાં બન્યો છે જેમાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે બની હતી. ગાડી અને લોરી વચ્ચે ટક્કર થઈ હતી.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.