કેરળમાં બન્યો ગંભીર અકસ્માત, ચાર લોકોના થયા ઘટનાસ્થળ પર મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 09:06:42

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત કેરળના અલપુઝ્ઝામાં બન્યો છે જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે પણ મોતને ભેટ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 

  

અકસ્માતમાં પાંચ લોકોના થયા મોત

દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકો પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માત કેરળમાં બન્યો છે જેમાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે બની હતી. ગાડી અને લોરી વચ્ચે ટક્કર થઈ હતી.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.