જામનગરના ધ્રોલ નજીક સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-24 11:31:23

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. થોડા સમયથી રોડ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. 


કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટ થવાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત જામનગરમાં સર્જાયો છે. ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ નજીક મોડી રાત્રે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા.


ઘટનાસ્થળે આવી પોલીસે કરી કાર્યવાહી 

અકસ્માત થવાને કારણે ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં  આવી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો ટીમલી ગામ ખાતે આયોજીત ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને પરત ફરતી વખત આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.