જામનગરના ધ્રોલ નજીક સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-24 11:31:23

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. થોડા સમયથી રોડ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. 


કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટ થવાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત જામનગરમાં સર્જાયો છે. ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ નજીક મોડી રાત્રે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા.


ઘટનાસ્થળે આવી પોલીસે કરી કાર્યવાહી 

અકસ્માત થવાને કારણે ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં  આવી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો ટીમલી ગામ ખાતે આયોજીત ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને પરત ફરતી વખત આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.    



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .