Suratથી સામે આવી હચમચાવી દે તેવી ઘટના! પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-02-19 18:04:36

સુરતથી અનેક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાની નાની વાતને લઈ લોકો એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઘણી વખત વાત એકદમ નાની હોય પરંતુ કોઈની હત્યા કરવામાં લોકો કઈ વિચારતા જ નથી એવું લાગે. ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ  છાંટ્યું અને પછી તેને આગને હવાલે કરી દીધી. આ ઘટના છે સુરતના કતારગામની. 8 વર્ષથી પ્રેમી પ્રેમીકા પ્રેમ સંબંધમાં હતા. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકા કોઈ બીજાની સાથે વાતો કરે છે અને તે શંકામાં પ્રેમીએ પ્રેમીકાને આગને હવાલે કરી દીધી.


પ્રેમીકા પર પ્રેમીએ છાંટ્યું પેટ્રોલ અને લગાવી દીધી આગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં પ્રેમી પ્રેમીકાને અથવા તો પ્રેમી માટે પ્રેમિકાના પતિ અથવા પત્નીનો જીવ લઈ લેવામાં આવે છે. ત્યારે સુરતથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત છે સુરતના કતારગામની જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. મળતી માહિતી અનુસાર શંભુને તેની પ્રેમિકા રાધા પર વહેમ હતો. મહત્વનું છે કે રાધા એક પરણિત મહિલા છે. મળતી માહિતી અનુસાર રાધા સાથે શંભુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. શંભુને વહેમ હતો કે રાધા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. 



પ્રેમીને વહેમ હતો કે તેની પ્રેમીકાનું ચાલે છે કોઈ બીજા સાથે ચક્કર! 

આ વહેમ મનમાં આવતા રાધા સાથે કેવી રીતે બદલો લેવો તે અંગે વિચારી રહ્યો હતો. પ્લાન ઘડી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે લગભગ 2 વાગ્યાની આસપાસ શંભુએ આ ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાને મારવા માટે તેણે પ્લાન બનાવ્યો. ક્યાંકથી તેણે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ ઘટનાને અંજામ આપ્યો. મળતી માહિતી અનુસાર રાધા કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે રાધાના ઘણા વર્ષોથી સંબંધો હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે માત્ર થોડા કલાકોની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો.


પતિ પત્ની વચ્ચે પણ બનતી હોય છે આવી ઘટના  

મહત્વનું છે કે પ્રેમ સંબંધમાં અનેક વખત વહેમ આવી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એક વખત જો પાર્ટનર પર શંકા જાય છે તો તેની સાથે વાત નથી કરતા અને આવી ઘટનાને અંજામ આપે છે. ન માત્ર પ્રેમીઓ પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એકબીજા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે