Suratથી સામે આવી હચમચાવી દે તેવી ઘટના! પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-02-19 18:04:36

સુરતથી અનેક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાની નાની વાતને લઈ લોકો એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઘણી વખત વાત એકદમ નાની હોય પરંતુ કોઈની હત્યા કરવામાં લોકો કઈ વિચારતા જ નથી એવું લાગે. ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ  છાંટ્યું અને પછી તેને આગને હવાલે કરી દીધી. આ ઘટના છે સુરતના કતારગામની. 8 વર્ષથી પ્રેમી પ્રેમીકા પ્રેમ સંબંધમાં હતા. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકા કોઈ બીજાની સાથે વાતો કરે છે અને તે શંકામાં પ્રેમીએ પ્રેમીકાને આગને હવાલે કરી દીધી.


પ્રેમીકા પર પ્રેમીએ છાંટ્યું પેટ્રોલ અને લગાવી દીધી આગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં પ્રેમી પ્રેમીકાને અથવા તો પ્રેમી માટે પ્રેમિકાના પતિ અથવા પત્નીનો જીવ લઈ લેવામાં આવે છે. ત્યારે સુરતથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત છે સુરતના કતારગામની જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. મળતી માહિતી અનુસાર શંભુને તેની પ્રેમિકા રાધા પર વહેમ હતો. મહત્વનું છે કે રાધા એક પરણિત મહિલા છે. મળતી માહિતી અનુસાર રાધા સાથે શંભુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. શંભુને વહેમ હતો કે રાધા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. 



પ્રેમીને વહેમ હતો કે તેની પ્રેમીકાનું ચાલે છે કોઈ બીજા સાથે ચક્કર! 

આ વહેમ મનમાં આવતા રાધા સાથે કેવી રીતે બદલો લેવો તે અંગે વિચારી રહ્યો હતો. પ્લાન ઘડી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે લગભગ 2 વાગ્યાની આસપાસ શંભુએ આ ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાને મારવા માટે તેણે પ્લાન બનાવ્યો. ક્યાંકથી તેણે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ ઘટનાને અંજામ આપ્યો. મળતી માહિતી અનુસાર રાધા કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે રાધાના ઘણા વર્ષોથી સંબંધો હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે માત્ર થોડા કલાકોની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો.


પતિ પત્ની વચ્ચે પણ બનતી હોય છે આવી ઘટના  

મહત્વનું છે કે પ્રેમ સંબંધમાં અનેક વખત વહેમ આવી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એક વખત જો પાર્ટનર પર શંકા જાય છે તો તેની સાથે વાત નથી કરતા અને આવી ઘટનાને અંજામ આપે છે. ન માત્ર પ્રેમીઓ પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એકબીજા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.