Suratથી સામે આવી હચમચાવી દે તેવી ઘટના! પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-02-19 18:04:36

સુરતથી અનેક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાની નાની વાતને લઈ લોકો એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઘણી વખત વાત એકદમ નાની હોય પરંતુ કોઈની હત્યા કરવામાં લોકો કઈ વિચારતા જ નથી એવું લાગે. ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ  છાંટ્યું અને પછી તેને આગને હવાલે કરી દીધી. આ ઘટના છે સુરતના કતારગામની. 8 વર્ષથી પ્રેમી પ્રેમીકા પ્રેમ સંબંધમાં હતા. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકા કોઈ બીજાની સાથે વાતો કરે છે અને તે શંકામાં પ્રેમીએ પ્રેમીકાને આગને હવાલે કરી દીધી.


પ્રેમીકા પર પ્રેમીએ છાંટ્યું પેટ્રોલ અને લગાવી દીધી આગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં પ્રેમી પ્રેમીકાને અથવા તો પ્રેમી માટે પ્રેમિકાના પતિ અથવા પત્નીનો જીવ લઈ લેવામાં આવે છે. ત્યારે સુરતથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત છે સુરતના કતારગામની જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. મળતી માહિતી અનુસાર શંભુને તેની પ્રેમિકા રાધા પર વહેમ હતો. મહત્વનું છે કે રાધા એક પરણિત મહિલા છે. મળતી માહિતી અનુસાર રાધા સાથે શંભુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. શંભુને વહેમ હતો કે રાધા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. 



પ્રેમીને વહેમ હતો કે તેની પ્રેમીકાનું ચાલે છે કોઈ બીજા સાથે ચક્કર! 

આ વહેમ મનમાં આવતા રાધા સાથે કેવી રીતે બદલો લેવો તે અંગે વિચારી રહ્યો હતો. પ્લાન ઘડી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે લગભગ 2 વાગ્યાની આસપાસ શંભુએ આ ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાને મારવા માટે તેણે પ્લાન બનાવ્યો. ક્યાંકથી તેણે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ ઘટનાને અંજામ આપ્યો. મળતી માહિતી અનુસાર રાધા કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે રાધાના ઘણા વર્ષોથી સંબંધો હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે માત્ર થોડા કલાકોની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો.


પતિ પત્ની વચ્ચે પણ બનતી હોય છે આવી ઘટના  

મહત્વનું છે કે પ્રેમ સંબંધમાં અનેક વખત વહેમ આવી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એક વખત જો પાર્ટનર પર શંકા જાય છે તો તેની સાથે વાત નથી કરતા અને આવી ઘટનાને અંજામ આપે છે. ન માત્ર પ્રેમીઓ પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એકબીજા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે.   



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .