Vadodaraથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જે જોઈને તમને આ ચટાકેદાર પાણીપુરી નહિ ભાવે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:14:48

પાણીપુરીના શોખીન અનેક લોકો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપુરી ખાઈને આવતી હોય છે. અનેક વખત મહિલાઓ કહેતી હોય છે કે બહાર જેવો પાણીપુરનો સ્વાદ ઘરે નથી આવતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ કદાચ તમે બહારની પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો.   વડોદરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે પાણીપુરી ખાવાનું ભૂલી જશો.

કાદવવાળા ગંદાપાણીમાં બનાવાય છે પાણીપુરીનો મસાલો! 

મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા દબાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે. 


ગંધાતા પગથી ખૂંદીને તૈયાર કરવામાં આવી રહ્યો છે માવો! 

જે વીડિયો સામે આવ્યો છે તે વડોદરાનો છે. પગથી ખૂંદીને પાણીપૂરીનો માવો બનાવાતો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભેરૂનાથ આઇસ્ક્રીમ શોપ પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં ફૂટપાથ પર જ તપેલામાં બાફેલા બટાકાને ગંધાતા પગથી ખૂંદીને માવો તૈયાર કરવામાં આવી રહ્યો છે.  

ફૂડ વિભાગની કામગીરી પર પણ ઉઠે છે અનેક સવાલ! 

સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટપાથ પર પણ ગંદકી જોવા મળે છે તો જે પાણીમાં બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ગંધાતુ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે. આવામાં વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકોને બીમારીમાં ધકેલતા આવા રેંકડીવાળા જે રીતે જાહેર રોડ પર જ પગથી ખૂદી પાણીપૂરીનો માવો બનાવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન કે અન્ય કોઇ તંત્રની ધરાર ડર ન હોવાનુ પણ જણાઇ રહ્યુ છે. જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ દુકાનને તાળુ મારી દુકાનદાર ફરાર થઇ ગયો છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે