Vadodaraથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જે જોઈને તમને આ ચટાકેદાર પાણીપુરી નહિ ભાવે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:14:48

પાણીપુરીના શોખીન અનેક લોકો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપુરી ખાઈને આવતી હોય છે. અનેક વખત મહિલાઓ કહેતી હોય છે કે બહાર જેવો પાણીપુરનો સ્વાદ ઘરે નથી આવતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ કદાચ તમે બહારની પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો.   વડોદરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે પાણીપુરી ખાવાનું ભૂલી જશો.

કાદવવાળા ગંદાપાણીમાં બનાવાય છે પાણીપુરીનો મસાલો! 

મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા દબાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે. 


ગંધાતા પગથી ખૂંદીને તૈયાર કરવામાં આવી રહ્યો છે માવો! 

જે વીડિયો સામે આવ્યો છે તે વડોદરાનો છે. પગથી ખૂંદીને પાણીપૂરીનો માવો બનાવાતો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભેરૂનાથ આઇસ્ક્રીમ શોપ પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં ફૂટપાથ પર જ તપેલામાં બાફેલા બટાકાને ગંધાતા પગથી ખૂંદીને માવો તૈયાર કરવામાં આવી રહ્યો છે.  

ફૂડ વિભાગની કામગીરી પર પણ ઉઠે છે અનેક સવાલ! 

સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટપાથ પર પણ ગંદકી જોવા મળે છે તો જે પાણીમાં બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ગંધાતુ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે. આવામાં વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકોને બીમારીમાં ધકેલતા આવા રેંકડીવાળા જે રીતે જાહેર રોડ પર જ પગથી ખૂદી પાણીપૂરીનો માવો બનાવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન કે અન્ય કોઇ તંત્રની ધરાર ડર ન હોવાનુ પણ જણાઇ રહ્યુ છે. જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ દુકાનને તાળુ મારી દુકાનદાર ફરાર થઇ ગયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.