માથા પર સોલર પેનલ અને ચહેરા પર પંખો! સોશિયલ મીડિયા પર વાયરલ થયો એન્જીનિયર બાબાનો વીડિયો!


  • Published By :
  • Published Date : 2023-04-03 15:58:39

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જે ખૂબ વાયરલ થતાં હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગરમીથી બચવા બાબા માથા પર પંખો લગાવી ફરી રહ્યા છે. ભગવા કપડા પહેરેલા બાબાએ સોલાર પ્લેટથી પંખો ચલાવ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

    

ભગવા ધારી બાબાનો વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર આપણને એવા અનેક વીડિયો મળી આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક બાબાનો વીડિયો ખુબ જોવાઈ રહ્યો છે જેમાં એક હાઈટેક બાબા છે. થોડા દિવસો બાદ કાળજાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ વખતની ગરમી અનેક વર્ષોના રેકોર્ડ તોડશે તેવી વાતો કરવામાં આવી રહી છે. ગરમીથી બચવા અનેક ઉપાયો કરવામાં આવતા હોય છે. ત્યારે એક સાધુએ ગરમીથી બચવા એક જૂગાડ શોધી લીધો છે. સોલાર પેનલની મદદથી બાબા પંખો ચલાવી રહ્યા છે. હેલમેટ જેવો ફેન લઈ બાબા રસ્તા પર ચાલી રહ્યા છે. સૂર્ય ઉર્જાની મદદથી બાબા એ પંખાને ચલાવી રહ્યા છે અને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.      


એન્જીનિયરો પણ બાબાના જુગાડ સામે ફેઈલ થાય!

ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા વીડિયો મળી આવતા હોય છે જે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં આપણને લાગે કે ગણાવા માટે ડિગ્રીની જરૂર નથી હોતી. આ વીડિયોને લઈ અનેક લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. અનેક કહી રહ્યા છે કે આ બાબાની સામે તો મોટા મોટા એન્જીનિયરો પણ નિષ્ફળ છે. તો કોઈ કહી રહ્યું છે કે  એટલે જ કહેવાયું છે કે જરૂરીયાત એ સંશોધનની માતા છે. ત્યારે  હાલમાં જ આ વીડિયો અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.