ફાગણી પૂનમને લઈ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં કરાયું છે વિશેષ આયોજન, જાણો શું છે આગામી બે દિવસનો કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-06 15:40:33

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પદયાત્રીકો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ડાકોર તરફ જતા રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના દર્શન કરવા હજારો ભક્તો આવતા હોય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના ઘોડાપુરને જોતા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

દર્શન માટે રણછોડજી મંદિરમાં કરાઈ વિશેષ વ્યવસ્થા  

7 માર્ચે રણછોડરાયજી મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જે બાદ ચારથી સાડા સાત વાગ્યા સુધી દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જે બાદ 8થી 2.30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે. સાંજે  6 વાગ્યે ઉત્થાયન આરતી થશે. જે બાદ 6થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8.15 વાગ્યે શયન આરતી થશે. 


આઠ માર્ચે ડાકોરના રણછોડરાય મંદિરમાં સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થશે. 5.15થી 8.30 સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ ભગવાનના દ્વાર 9.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહેશે. આ સમય દરમિયાન શ્રી ગોપાલ ફૂલડોળમાં બિરાજશે જેનો લાભ ભક્તો લઈ શક્શે. બપોરે 1.00થી 2.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના સમયે 3.30થી 4.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ 5.15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. 





હજારોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

ફાગણી પૂનમને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ધ્વજાઓ, સંઘ લઈ ભક્તો ડાકોર પહોંચ્યા છે. ડાકોર તરફ થઈ રેહલા રસ્તાઓ પર પણ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્થળો પર પદયાત્રીકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.ફાગણી પૂનમને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.      

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.