ફાગણી પૂનમને લઈ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં કરાયું છે વિશેષ આયોજન, જાણો શું છે આગામી બે દિવસનો કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-06 15:40:33

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પદયાત્રીકો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ડાકોર તરફ જતા રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના દર્શન કરવા હજારો ભક્તો આવતા હોય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના ઘોડાપુરને જોતા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

દર્શન માટે રણછોડજી મંદિરમાં કરાઈ વિશેષ વ્યવસ્થા  

7 માર્ચે રણછોડરાયજી મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જે બાદ ચારથી સાડા સાત વાગ્યા સુધી દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જે બાદ 8થી 2.30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે. સાંજે  6 વાગ્યે ઉત્થાયન આરતી થશે. જે બાદ 6થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8.15 વાગ્યે શયન આરતી થશે. 


આઠ માર્ચે ડાકોરના રણછોડરાય મંદિરમાં સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થશે. 5.15થી 8.30 સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ ભગવાનના દ્વાર 9.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહેશે. આ સમય દરમિયાન શ્રી ગોપાલ ફૂલડોળમાં બિરાજશે જેનો લાભ ભક્તો લઈ શક્શે. બપોરે 1.00થી 2.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના સમયે 3.30થી 4.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ 5.15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. 





હજારોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

ફાગણી પૂનમને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ધ્વજાઓ, સંઘ લઈ ભક્તો ડાકોર પહોંચ્યા છે. ડાકોર તરફ થઈ રેહલા રસ્તાઓ પર પણ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્થળો પર પદયાત્રીકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.ફાગણી પૂનમને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.      

  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.