ફાગણી પૂનમને લઈ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં કરાયું છે વિશેષ આયોજન, જાણો શું છે આગામી બે દિવસનો કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-06 15:40:33

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પદયાત્રીકો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ડાકોર તરફ જતા રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના દર્શન કરવા હજારો ભક્તો આવતા હોય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના ઘોડાપુરને જોતા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

દર્શન માટે રણછોડજી મંદિરમાં કરાઈ વિશેષ વ્યવસ્થા  

7 માર્ચે રણછોડરાયજી મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જે બાદ ચારથી સાડા સાત વાગ્યા સુધી દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જે બાદ 8થી 2.30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે. સાંજે  6 વાગ્યે ઉત્થાયન આરતી થશે. જે બાદ 6થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8.15 વાગ્યે શયન આરતી થશે. 


આઠ માર્ચે ડાકોરના રણછોડરાય મંદિરમાં સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થશે. 5.15થી 8.30 સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ ભગવાનના દ્વાર 9.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહેશે. આ સમય દરમિયાન શ્રી ગોપાલ ફૂલડોળમાં બિરાજશે જેનો લાભ ભક્તો લઈ શક્શે. બપોરે 1.00થી 2.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના સમયે 3.30થી 4.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ 5.15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. 





હજારોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

ફાગણી પૂનમને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ધ્વજાઓ, સંઘ લઈ ભક્તો ડાકોર પહોંચ્યા છે. ડાકોર તરફ થઈ રેહલા રસ્તાઓ પર પણ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્થળો પર પદયાત્રીકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.ફાગણી પૂનમને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.      

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.