PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાવવાનો વિચિત્ર પરિપત્ર થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:55:15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તાપીની આર્ટ્સ કોલેજનો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. મા દેવમોગરા સરકારી વિનયન કોલેજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ જે રીતે આપવામાં આવ્યું છે તેની મજાક ઉડાડવામાં આવી રહી છે અને આમંત્રણનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


PMને નજીકથી જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે

20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે ત્યારે બપોરનું ભોજન ઘરેથી કરીને આવવાની સૂચના આપવામાં આવી છે અને વિનામૂલ્યે સરકારી બસમાં કોલેજથી કાર્યક્રમ સ્થળ અને કાર્યક્રમ સ્થળથી કોલેજ મૂકી જવાની સૂચના આપવામાં આવી છે. 


આ સૂવર્ણ તક બધા ઝડપી લેશો 

દેવમોગરા સરકારી વિનયન કોલેજના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓશ્રીની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આથી આ સુવર્ણતક બધા ઝડપી લેશો અને મોટી સંખ્યામાં નામ નોંધાવી દેશો. ગુરુવારે બપોરે 2 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ છે જેના માટે પરિપત્ર લખીને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી રહી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે