PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાવવાનો વિચિત્ર પરિપત્ર થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:55:15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તાપીની આર્ટ્સ કોલેજનો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. મા દેવમોગરા સરકારી વિનયન કોલેજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ જે રીતે આપવામાં આવ્યું છે તેની મજાક ઉડાડવામાં આવી રહી છે અને આમંત્રણનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


PMને નજીકથી જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે

20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે ત્યારે બપોરનું ભોજન ઘરેથી કરીને આવવાની સૂચના આપવામાં આવી છે અને વિનામૂલ્યે સરકારી બસમાં કોલેજથી કાર્યક્રમ સ્થળ અને કાર્યક્રમ સ્થળથી કોલેજ મૂકી જવાની સૂચના આપવામાં આવી છે. 


આ સૂવર્ણ તક બધા ઝડપી લેશો 

દેવમોગરા સરકારી વિનયન કોલેજના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓશ્રીની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આથી આ સુવર્ણતક બધા ઝડપી લેશો અને મોટી સંખ્યામાં નામ નોંધાવી દેશો. ગુરુવારે બપોરે 2 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ છે જેના માટે પરિપત્ર લખીને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.