કડીમાં રખડતા પશુએ ઘરની બહાર રમી રહેલા બાળક પર કર્યો હુમલો, આંખના ભાગે થઈ ઈજા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:44:23

રાજ્યમાં રખડતા પશુ અને શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો આને કારણે ઈજાગ્રસ્ત થાય તો અનેક લોકોના મોત પણ આને કારણે થાય છે. ત્યારે કડીમાં રખડતા પશુના હુમલાને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી છે. કડી શહેરમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કડી માર્કેટ યાર્ડની સામે આવેલા રેસીડેન્સીમાં રહેતો બાળક રખડતા પશુના હુમલાનો શિકાર બન્યો છે. ઘરની બહાર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને આકાશમાં ઉછાળ્યો. જેને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને માથાના ભાગમાં અને આંખ પર ઈજાઓ પહોંચી છે. 


બાળકને હવામાં અનેક વખત ઉછાળ્યો 

રાજ્યના અનેક શહેરોમાં આ સમસ્યા વધી રહી છે. ત્યારે કડીમાં રખડતા પશુએ બાળક પર શિંગડા વડે હુમલો કર્યો હતો. કડી માર્કેટ યાર્ડની સામે આવેલી સોસાયટીમાં ઘરની બહાર બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને બાળકને હવામાં ઉછાળ્યો. ગાયે શિંગડામાં ભરવીને ચાર પાંચ વખત હવામાં ઉછાળ્યો. બુમાબુમ કરતા બાળકના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને ગાયને ત્યાંથી ભગાડી. જેને કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.   


થોડા દિવસ પહેલા દંપત્તિ પર રખડતા પશુએ કર્યો હતો હુમલો  

પ્રતિદિન રખડતા પશુઓનો ભોગ લોકો બની રહ્યા છે. રખડતા પશુના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો પર ગાય અચાનક હુમલો કરી લોકોને ઈજાગ્રસ્ત કરી દેતી હોય છે. ગાય દ્વારા હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે તો કોઈ વખત તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. થોડા દિવસો પહેલા રખડતા પશુએ દંપત્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં વાહન ચલાવતા પતિનું મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા પશુએ ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. રખડતા પશુઓના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે સવાલ છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.