કડીમાં રખડતા પશુએ ઘરની બહાર રમી રહેલા બાળક પર કર્યો હુમલો, આંખના ભાગે થઈ ઈજા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:44:23

રાજ્યમાં રખડતા પશુ અને શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો આને કારણે ઈજાગ્રસ્ત થાય તો અનેક લોકોના મોત પણ આને કારણે થાય છે. ત્યારે કડીમાં રખડતા પશુના હુમલાને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી છે. કડી શહેરમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કડી માર્કેટ યાર્ડની સામે આવેલા રેસીડેન્સીમાં રહેતો બાળક રખડતા પશુના હુમલાનો શિકાર બન્યો છે. ઘરની બહાર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને આકાશમાં ઉછાળ્યો. જેને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને માથાના ભાગમાં અને આંખ પર ઈજાઓ પહોંચી છે. 


બાળકને હવામાં અનેક વખત ઉછાળ્યો 

રાજ્યના અનેક શહેરોમાં આ સમસ્યા વધી રહી છે. ત્યારે કડીમાં રખડતા પશુએ બાળક પર શિંગડા વડે હુમલો કર્યો હતો. કડી માર્કેટ યાર્ડની સામે આવેલી સોસાયટીમાં ઘરની બહાર બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને બાળકને હવામાં ઉછાળ્યો. ગાયે શિંગડામાં ભરવીને ચાર પાંચ વખત હવામાં ઉછાળ્યો. બુમાબુમ કરતા બાળકના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને ગાયને ત્યાંથી ભગાડી. જેને કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.   


થોડા દિવસ પહેલા દંપત્તિ પર રખડતા પશુએ કર્યો હતો હુમલો  

પ્રતિદિન રખડતા પશુઓનો ભોગ લોકો બની રહ્યા છે. રખડતા પશુના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો પર ગાય અચાનક હુમલો કરી લોકોને ઈજાગ્રસ્ત કરી દેતી હોય છે. ગાય દ્વારા હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે તો કોઈ વખત તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. થોડા દિવસો પહેલા રખડતા પશુએ દંપત્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં વાહન ચલાવતા પતિનું મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા પશુએ ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. રખડતા પશુઓના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે સવાલ છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.