બનાસકાંઠામાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, પિતાએ ભણવા માટે કહેતા બાળકે કરી લીધી આત્મહત્યા!


  • Published By :
  • Published Date : 2023-04-15 16:28:48

નાની નાની વાતોને આજકાલ બાળકો મન પર લઈ રહ્યા છે. નાની વાતને લઈ એટલું મોટું પગલું ભરી લેતા હોય છે જેનું પરિણામ માતા પિતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે બનાસકાંઠામાં 14 વર્ષના બાળકે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું છે. પિતાએ વાંચવાનું કહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકે મોતને વ્હાલું કર્યું છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરામાં બની છે.


ભણવાનું કહેતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની વાતને ધ્યાનમાં રાખી લોકો આપઘાત કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આ કિસ્સો જે થયો છે તે તમામ માતા પિતાને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ શકે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરીક્ષા હોવાને કારણે પિતાએ પુત્રને ભણવા માટે કહ્યું હતું. વાંચવાનું કહેતા પુત્રે આ વાતને દિલ પર લઈ લીધી હતી. વાતની દાજ રાખી બાળકે છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે.


આ પહેલા પણ બની છે આવી ઘટના! 

બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા પિતા દ્વારા અનેક વખત બાળકોને ઠપકો આપવામાં આવતો હોય છે. કોઈ વખત સલાહને, તેમના ઠપકાને સારી રીતે લેવાની બદલીમાં તેને  ઉંધી રીતના લઈ વિદ્યાર્થીઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. પરંતુ તે સલાહને, તે ઠપકાને ધ્યાનમાં રાખી માતા-પિતાના ઠપકાને કારણે બાળકે આવું પગલું ભર્યું હોય તે આ પહેલી ઘટના નથી. 


શું માતા પિતા હવે બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દે? 

આ પહેલા પણ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા દ્વારા કહેવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખી મોટા પગલાં ભરી લેતા હોય છે. કોઈ વખત મોબાઈલ ન આપવાની બાબતને લઈ વિદ્યાર્થીઓ જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે આ વખતે ધોરણ નવમા ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષા હોવાને કારણે પિતાએ બાળકને ભણવા બેસવાનું કહ્યું. આ વાતને દિમાગ પર લઈ વિદ્યાર્થીએ છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે. વ્હાલ સોયા બાળકને ગુમાવ્યા બાદ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે બાળકોએ પણ આ મામલે વિચારવું પડશે કે માતા પિતા તમારા ભલા માટે તમને ઠપકો આપતા હોય છે. તેમની વાતોને દિલ પર લઈ કોઈ એવું પગલું ન ભરી લેવાય કે જેને કારણે માતા પિતા આજીવન રડતા રહે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.