બનાસકાંઠામાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, પિતાએ ભણવા માટે કહેતા બાળકે કરી લીધી આત્મહત્યા!


  • Published By :
  • Published Date : 2023-04-15 16:28:48

નાની નાની વાતોને આજકાલ બાળકો મન પર લઈ રહ્યા છે. નાની વાતને લઈ એટલું મોટું પગલું ભરી લેતા હોય છે જેનું પરિણામ માતા પિતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે બનાસકાંઠામાં 14 વર્ષના બાળકે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું છે. પિતાએ વાંચવાનું કહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકે મોતને વ્હાલું કર્યું છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરામાં બની છે.


ભણવાનું કહેતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની વાતને ધ્યાનમાં રાખી લોકો આપઘાત કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આ કિસ્સો જે થયો છે તે તમામ માતા પિતાને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ શકે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરીક્ષા હોવાને કારણે પિતાએ પુત્રને ભણવા માટે કહ્યું હતું. વાંચવાનું કહેતા પુત્રે આ વાતને દિલ પર લઈ લીધી હતી. વાતની દાજ રાખી બાળકે છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે.


આ પહેલા પણ બની છે આવી ઘટના! 

બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા પિતા દ્વારા અનેક વખત બાળકોને ઠપકો આપવામાં આવતો હોય છે. કોઈ વખત સલાહને, તેમના ઠપકાને સારી રીતે લેવાની બદલીમાં તેને  ઉંધી રીતના લઈ વિદ્યાર્થીઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. પરંતુ તે સલાહને, તે ઠપકાને ધ્યાનમાં રાખી માતા-પિતાના ઠપકાને કારણે બાળકે આવું પગલું ભર્યું હોય તે આ પહેલી ઘટના નથી. 


શું માતા પિતા હવે બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દે? 

આ પહેલા પણ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા દ્વારા કહેવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખી મોટા પગલાં ભરી લેતા હોય છે. કોઈ વખત મોબાઈલ ન આપવાની બાબતને લઈ વિદ્યાર્થીઓ જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે આ વખતે ધોરણ નવમા ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષા હોવાને કારણે પિતાએ બાળકને ભણવા બેસવાનું કહ્યું. આ વાતને દિમાગ પર લઈ વિદ્યાર્થીએ છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે. વ્હાલ સોયા બાળકને ગુમાવ્યા બાદ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે બાળકોએ પણ આ મામલે વિચારવું પડશે કે માતા પિતા તમારા ભલા માટે તમને ઠપકો આપતા હોય છે. તેમની વાતોને દિલ પર લઈ કોઈ એવું પગલું ન ભરી લેવાય કે જેને કારણે માતા પિતા આજીવન રડતા રહે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે