કુંવરજી બાવળીયાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત, પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-27 16:52:53

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. વિંછીયાના અમરાપરામાં આવેલી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કુલમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. આ મોત મામલે કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. 


મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજકોટના વિંછીયાના અમરાપરમાં કુંવરજી બાવળીયાની શાળા આવેલી છે. આ શાળામાં 10માં ધોરણમાં ભણતી કાજલે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. મોત મામલે કોળી વિકાસ સમાજના આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 


ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું હતું જીવન 

કોળી સમાજના આગેવાને પત્રમાં લખ્યું કે કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યું થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોનને જાણ કરવામાં આવી. 


ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી 

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું કે અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી તથા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આક્ષેપ લગાવતા કહ્યું કે આ અગાઉ પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓના મોત આવી રીતે થયા હતા. ત્યારે પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.