કુંવરજી બાવળીયાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત, પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-27 16:52:53

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. વિંછીયાના અમરાપરામાં આવેલી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કુલમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. આ મોત મામલે કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. 


મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજકોટના વિંછીયાના અમરાપરમાં કુંવરજી બાવળીયાની શાળા આવેલી છે. આ શાળામાં 10માં ધોરણમાં ભણતી કાજલે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. મોત મામલે કોળી વિકાસ સમાજના આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 


ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું હતું જીવન 

કોળી સમાજના આગેવાને પત્રમાં લખ્યું કે કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યું થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોનને જાણ કરવામાં આવી. 


ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી 

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું કે અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી તથા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આક્ષેપ લગાવતા કહ્યું કે આ અગાઉ પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓના મોત આવી રીતે થયા હતા. ત્યારે પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.