કુંવરજી બાવળીયાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત, પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-27 16:52:53

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. વિંછીયાના અમરાપરામાં આવેલી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કુલમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. આ મોત મામલે કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. 


મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજકોટના વિંછીયાના અમરાપરમાં કુંવરજી બાવળીયાની શાળા આવેલી છે. આ શાળામાં 10માં ધોરણમાં ભણતી કાજલે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. મોત મામલે કોળી વિકાસ સમાજના આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 


ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું હતું જીવન 

કોળી સમાજના આગેવાને પત્રમાં લખ્યું કે કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યું થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોનને જાણ કરવામાં આવી. 


ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી 

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું કે અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી તથા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આક્ષેપ લગાવતા કહ્યું કે આ અગાઉ પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓના મોત આવી રીતે થયા હતા. ત્યારે પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.