લાંબા સમયથી ફરજ નિભાવતા અધિકારીઓની કરાઈ એકાએક બદલી! CM સિક્યોરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી થતાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-27 10:22:57

ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીના એકાએક ફેરફાર કરાયા છે. પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીની બદલીની નોટીસ મળતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે. સીએમની સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂંક કરવામાં આવી છે અને બદલાયેલા પાંચેય અધિકારીને વેઈટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ આપવામાં આવ્યો છે. 


પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી!

જે અધિકારીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે તેમની વાત કરીએ તો, રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાનું નામનો સમાવેશ પાંચ નાયબ પોલીસ અધિક્ષકની બદલીનો ઓર્ડર કર્યો છે. પાંચ અધિકારીને પ્રતીક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામ અધિકારીને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ આપ્યો છે. 


77 આઈપીએસની કરાઈ હતી બદલી!

કુલદિપ શર્માને સીએમ સિક્યોરિટી-1, સલામતી શાખામાં બદલી કરવામાં આવી છે. ડી.વી.પટેલને આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. પી.ડી વાઘેલાને સીએમ સિક્યુરિટી-3,સલામતી શાખા ગાંધીનગર ખાતે મૂકાયા છે. એચ.બી.ચૌધરીની બદલી આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યોરિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આર.એલ.બારડને સીએમ સિક્યોરિટી-2 ગાંધીનગર ખાતે મૂકાયા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા 77 આઈપીએસની બદલી કરવામાં આવી હતી.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે