લાંબા સમયથી ફરજ નિભાવતા અધિકારીઓની કરાઈ એકાએક બદલી! CM સિક્યોરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી થતાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-27 10:22:57

ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીના એકાએક ફેરફાર કરાયા છે. પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીની બદલીની નોટીસ મળતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે. સીએમની સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂંક કરવામાં આવી છે અને બદલાયેલા પાંચેય અધિકારીને વેઈટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ આપવામાં આવ્યો છે. 


પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી!

જે અધિકારીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે તેમની વાત કરીએ તો, રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાનું નામનો સમાવેશ પાંચ નાયબ પોલીસ અધિક્ષકની બદલીનો ઓર્ડર કર્યો છે. પાંચ અધિકારીને પ્રતીક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામ અધિકારીને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ આપ્યો છે. 


77 આઈપીએસની કરાઈ હતી બદલી!

કુલદિપ શર્માને સીએમ સિક્યોરિટી-1, સલામતી શાખામાં બદલી કરવામાં આવી છે. ડી.વી.પટેલને આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. પી.ડી વાઘેલાને સીએમ સિક્યુરિટી-3,સલામતી શાખા ગાંધીનગર ખાતે મૂકાયા છે. એચ.બી.ચૌધરીની બદલી આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યોરિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આર.એલ.બારડને સીએમ સિક્યોરિટી-2 ગાંધીનગર ખાતે મૂકાયા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા 77 આઈપીએસની બદલી કરવામાં આવી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.