બિહારના શિક્ષકે વિદ્યાર્થીઓને ધરાર ગરોળી ખવડાવવાનો વાલીઓનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:27:31

બિહારના મદત્તપુર ગામમાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી બાળકો બીમાર થઈ ગયાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્યાહ્ન ભોજનમાં ગરોળી ખાધા બાદ 200 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


ગરોળી નહીં રીંગણની દાંડી છે જમી લોઃ શિક્ષક

મદત્તપુર ગામની શાળામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે એક છોકરી આવીને કહી રહી હતી કે જમવામાં ગરોળી છે. આ સાંભળીને ત્યાંના શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે રીંગણની દાંડી છે જમી લો. જમ્યા બાદ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. 200 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.


હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે