બિહારના શિક્ષકે વિદ્યાર્થીઓને ધરાર ગરોળી ખવડાવવાનો વાલીઓનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:27:31

બિહારના મદત્તપુર ગામમાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી બાળકો બીમાર થઈ ગયાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્યાહ્ન ભોજનમાં ગરોળી ખાધા બાદ 200 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


ગરોળી નહીં રીંગણની દાંડી છે જમી લોઃ શિક્ષક

મદત્તપુર ગામની શાળામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે એક છોકરી આવીને કહી રહી હતી કે જમવામાં ગરોળી છે. આ સાંભળીને ત્યાંના શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે રીંગણની દાંડી છે જમી લો. જમ્યા બાદ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. 200 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.


હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.