બિહારના શિક્ષકે વિદ્યાર્થીઓને ધરાર ગરોળી ખવડાવવાનો વાલીઓનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:27:31

બિહારના મદત્તપુર ગામમાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી બાળકો બીમાર થઈ ગયાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્યાહ્ન ભોજનમાં ગરોળી ખાધા બાદ 200 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


ગરોળી નહીં રીંગણની દાંડી છે જમી લોઃ શિક્ષક

મદત્તપુર ગામની શાળામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે એક છોકરી આવીને કહી રહી હતી કે જમવામાં ગરોળી છે. આ સાંભળીને ત્યાંના શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે રીંગણની દાંડી છે જમી લો. જમ્યા બાદ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. 200 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.


હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.