સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકનો થયો પર્દાફાશ! માસુમ બાળકો પર આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો,


  • Published By :
  • Published Date : 2023-03-25 18:49:13

સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષક શબ્દને શર્મસાર કરે તેવી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતા મૌલવીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. મદરેસામાં મૌલવી તરીકેની નોકરી જતા પોતાના ઘરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાના પોતાના ઘરમાં જ બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો, મોબાઈલમાં બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.


બે માસુમ બાળકો બન્યા હવસનો ભોગ! 

માણસના હવસનો હવે નાના બાળકો પણ શિકાર બની રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે નવ વર્ષના બે બાળકો સાથે આવું કૃત્ય થયું છે. સુરતના ઉધના વિસ્તારમાં મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરૂદ્દીન સેખ કોચિંગ ક્લાસ ચલાવે છે જેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે શિક્ષક ટ્યુશન ક્લાસમાં બે માસુમ બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. જો વીડિયો જોવાની બાળકો ના પાડતા તો તેમને માર પડતો હતો. 


પોલીસે હાથ ધરી તપાસ 

ધાર્મિક શિક્ષણના નામે મૌલવી પોર્ન વીડિયો બતાવી માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો હતો. બે બાળકો પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. આ વાતની જાણકારી બાળકે પોતાના પરિવારજનોને આપી. જે બાદ શિક્ષકોનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બાળકો સાથે પણ શું શિક્ષક આવું કૃત્ય કરતો હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.