સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકનો થયો પર્દાફાશ! માસુમ બાળકો પર આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો,


  • Published By :
  • Published Date : 2023-03-25 18:49:13

સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષક શબ્દને શર્મસાર કરે તેવી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતા મૌલવીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. મદરેસામાં મૌલવી તરીકેની નોકરી જતા પોતાના ઘરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાના પોતાના ઘરમાં જ બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો, મોબાઈલમાં બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.


બે માસુમ બાળકો બન્યા હવસનો ભોગ! 

માણસના હવસનો હવે નાના બાળકો પણ શિકાર બની રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે નવ વર્ષના બે બાળકો સાથે આવું કૃત્ય થયું છે. સુરતના ઉધના વિસ્તારમાં મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરૂદ્દીન સેખ કોચિંગ ક્લાસ ચલાવે છે જેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે શિક્ષક ટ્યુશન ક્લાસમાં બે માસુમ બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. જો વીડિયો જોવાની બાળકો ના પાડતા તો તેમને માર પડતો હતો. 


પોલીસે હાથ ધરી તપાસ 

ધાર્મિક શિક્ષણના નામે મૌલવી પોર્ન વીડિયો બતાવી માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો હતો. બે બાળકો પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. આ વાતની જાણકારી બાળકે પોતાના પરિવારજનોને આપી. જે બાદ શિક્ષકોનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બાળકો સાથે પણ શું શિક્ષક આવું કૃત્ય કરતો હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે