સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકનો થયો પર્દાફાશ! માસુમ બાળકો પર આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો,


  • Published By :
  • Published Date : 2023-03-25 18:49:13

સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષક શબ્દને શર્મસાર કરે તેવી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતા મૌલવીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. મદરેસામાં મૌલવી તરીકેની નોકરી જતા પોતાના ઘરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાના પોતાના ઘરમાં જ બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો, મોબાઈલમાં બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.


બે માસુમ બાળકો બન્યા હવસનો ભોગ! 

માણસના હવસનો હવે નાના બાળકો પણ શિકાર બની રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે નવ વર્ષના બે બાળકો સાથે આવું કૃત્ય થયું છે. સુરતના ઉધના વિસ્તારમાં મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરૂદ્દીન સેખ કોચિંગ ક્લાસ ચલાવે છે જેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે શિક્ષક ટ્યુશન ક્લાસમાં બે માસુમ બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. જો વીડિયો જોવાની બાળકો ના પાડતા તો તેમને માર પડતો હતો. 


પોલીસે હાથ ધરી તપાસ 

ધાર્મિક શિક્ષણના નામે મૌલવી પોર્ન વીડિયો બતાવી માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો હતો. બે બાળકો પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. આ વાતની જાણકારી બાળકે પોતાના પરિવારજનોને આપી. જે બાદ શિક્ષકોનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બાળકો સાથે પણ શું શિક્ષક આવું કૃત્ય કરતો હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.