સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકનો થયો પર્દાફાશ! માસુમ બાળકો પર આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો,


  • Published By :
  • Published Date : 2023-03-25 18:49:13

સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષક શબ્દને શર્મસાર કરે તેવી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતા મૌલવીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. મદરેસામાં મૌલવી તરીકેની નોકરી જતા પોતાના ઘરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાના પોતાના ઘરમાં જ બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો, મોબાઈલમાં બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.


બે માસુમ બાળકો બન્યા હવસનો ભોગ! 

માણસના હવસનો હવે નાના બાળકો પણ શિકાર બની રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે નવ વર્ષના બે બાળકો સાથે આવું કૃત્ય થયું છે. સુરતના ઉધના વિસ્તારમાં મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરૂદ્દીન સેખ કોચિંગ ક્લાસ ચલાવે છે જેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે શિક્ષક ટ્યુશન ક્લાસમાં બે માસુમ બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. જો વીડિયો જોવાની બાળકો ના પાડતા તો તેમને માર પડતો હતો. 


પોલીસે હાથ ધરી તપાસ 

ધાર્મિક શિક્ષણના નામે મૌલવી પોર્ન વીડિયો બતાવી માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો હતો. બે બાળકો પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. આ વાતની જાણકારી બાળકે પોતાના પરિવારજનોને આપી. જે બાદ શિક્ષકોનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બાળકો સાથે પણ શું શિક્ષક આવું કૃત્ય કરતો હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે