ઉત્તરાયણમાં સર્જાતી ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, પક્ષીઓ માટે પણ જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2023-01-12 10:01:47

ઉત્તરાયણ તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણાં સમય પહેલેથી જ કરી દેતા હોય છે. પતંગની દોરીને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે. પતંગની દોરીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ સમય દરમિયાન ઈમરજન્સી કેસમાં તેમજ કોલમાં પણ વધારો જોવા મળે છે. ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108 ઈમરજન્સી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 


ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર 

ગુજરાતના લોકો ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે. અનેક દિવસો પહેલાથી જ આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ઉત્તરાયણ સમય દરમિયાન અનેક અકસ્માત બનતા હોય છે. પતંગની દોરીને કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે અથવા તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઉત્તરાયણના દિવસોમાં ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આ કોલને જ પહોંચી વળવા 108ની ટીમે પણ તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરની ટીમ, 108 વાનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક અંદાજા પ્રમાણે 108ને સવારના 8 વાગ્યાથી લઈ બપોરના સમય સુધી સૌથી વધારે ઈમરજન્સી કોલ્સ આવે છે. 


ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા ચલાવાશે ઝુંબેશ 

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ન માત્ર માણસોને નુકસાન પહોંચે છે પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ દોરીને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અબોલ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટ હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થતા પક્ષીઓને સારવાર કરવા કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવાથી કરૂણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થસે. ઉપરાંત 83200 02000 ઉપર પણ કોલ કરવાથી સેવા ઉપલબ્ધ થશે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.