ઉત્તરાયણમાં સર્જાતી ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, પક્ષીઓ માટે પણ જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2023-01-12 10:01:47

ઉત્તરાયણ તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણાં સમય પહેલેથી જ કરી દેતા હોય છે. પતંગની દોરીને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે. પતંગની દોરીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ સમય દરમિયાન ઈમરજન્સી કેસમાં તેમજ કોલમાં પણ વધારો જોવા મળે છે. ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108 ઈમરજન્સી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 


ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર 

ગુજરાતના લોકો ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે. અનેક દિવસો પહેલાથી જ આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ઉત્તરાયણ સમય દરમિયાન અનેક અકસ્માત બનતા હોય છે. પતંગની દોરીને કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે અથવા તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઉત્તરાયણના દિવસોમાં ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આ કોલને જ પહોંચી વળવા 108ની ટીમે પણ તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરની ટીમ, 108 વાનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક અંદાજા પ્રમાણે 108ને સવારના 8 વાગ્યાથી લઈ બપોરના સમય સુધી સૌથી વધારે ઈમરજન્સી કોલ્સ આવે છે. 


ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા ચલાવાશે ઝુંબેશ 

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ન માત્ર માણસોને નુકસાન પહોંચે છે પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ દોરીને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અબોલ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટ હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થતા પક્ષીઓને સારવાર કરવા કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવાથી કરૂણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થસે. ઉપરાંત 83200 02000 ઉપર પણ કોલ કરવાથી સેવા ઉપલબ્ધ થશે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.