ઉત્તરાયણમાં સર્જાતી ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, પક્ષીઓ માટે પણ જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2023-01-12 10:01:47

ઉત્તરાયણ તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણાં સમય પહેલેથી જ કરી દેતા હોય છે. પતંગની દોરીને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે. પતંગની દોરીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ સમય દરમિયાન ઈમરજન્સી કેસમાં તેમજ કોલમાં પણ વધારો જોવા મળે છે. ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108 ઈમરજન્સી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 


ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર 

ગુજરાતના લોકો ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે. અનેક દિવસો પહેલાથી જ આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ઉત્તરાયણ સમય દરમિયાન અનેક અકસ્માત બનતા હોય છે. પતંગની દોરીને કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે અથવા તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઉત્તરાયણના દિવસોમાં ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આ કોલને જ પહોંચી વળવા 108ની ટીમે પણ તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરની ટીમ, 108 વાનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક અંદાજા પ્રમાણે 108ને સવારના 8 વાગ્યાથી લઈ બપોરના સમય સુધી સૌથી વધારે ઈમરજન્સી કોલ્સ આવે છે. 


ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા ચલાવાશે ઝુંબેશ 

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ન માત્ર માણસોને નુકસાન પહોંચે છે પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ દોરીને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અબોલ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટ હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થતા પક્ષીઓને સારવાર કરવા કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવાથી કરૂણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થસે. ઉપરાંત 83200 02000 ઉપર પણ કોલ કરવાથી સેવા ઉપલબ્ધ થશે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.