ઉત્તરાયણમાં સર્જાતી ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, પક્ષીઓ માટે પણ જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2023-01-12 10:01:47

ઉત્તરાયણ તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણાં સમય પહેલેથી જ કરી દેતા હોય છે. પતંગની દોરીને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે. પતંગની દોરીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ સમય દરમિયાન ઈમરજન્સી કેસમાં તેમજ કોલમાં પણ વધારો જોવા મળે છે. ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108 ઈમરજન્સી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 


ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર 

ગુજરાતના લોકો ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે. અનેક દિવસો પહેલાથી જ આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ઉત્તરાયણ સમય દરમિયાન અનેક અકસ્માત બનતા હોય છે. પતંગની દોરીને કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે અથવા તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઉત્તરાયણના દિવસોમાં ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આ કોલને જ પહોંચી વળવા 108ની ટીમે પણ તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરની ટીમ, 108 વાનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક અંદાજા પ્રમાણે 108ને સવારના 8 વાગ્યાથી લઈ બપોરના સમય સુધી સૌથી વધારે ઈમરજન્સી કોલ્સ આવે છે. 


ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા ચલાવાશે ઝુંબેશ 

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ન માત્ર માણસોને નુકસાન પહોંચે છે પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ દોરીને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અબોલ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટ હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થતા પક્ષીઓને સારવાર કરવા કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવાથી કરૂણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થસે. ઉપરાંત 83200 02000 ઉપર પણ કોલ કરવાથી સેવા ઉપલબ્ધ થશે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.