ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવતા ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, વધારાઈ એમ્બ્યુલન્સની સંખ્યા


  • Published By :
  • Published Date : 2023-01-14 11:29:30

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઈમરજન્સી કેસની સંખ્યાના આંકડા વધતા જોવા મળે છે. ત્યારે સવારના 9 વાગ્યા સુધી 108ની ટીમને 807થી વધુ કોલ આવી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 698 પર હતો. 


પતંગની દોરીને કારણે થાય છે ગંભીર અકસ્માત 

આજકાલ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ગળું કપાવાને કારણે ટાંકા લેવા પડતા હોય છે અને અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં પણ વધારો થાય છે. અનેક લોકોનો અકસ્માત થાય છે. પર્વને લઈ 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. 


108ની ટીમે વધારી એમ્બ્યુલન્સની સંખ્યા 

તહેવારને પગલે એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ એક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષીઓને પણ પતંગની દોરીને કારણે ઈજા પહોંચતી હોય છે. તેમને પણ સારવાર મળી રહે છે તે માટે કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.