ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવતા ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, વધારાઈ એમ્બ્યુલન્સની સંખ્યા


  • Published By :
  • Published Date : 2023-01-14 11:29:30

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઈમરજન્સી કેસની સંખ્યાના આંકડા વધતા જોવા મળે છે. ત્યારે સવારના 9 વાગ્યા સુધી 108ની ટીમને 807થી વધુ કોલ આવી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 698 પર હતો. 


પતંગની દોરીને કારણે થાય છે ગંભીર અકસ્માત 

આજકાલ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ગળું કપાવાને કારણે ટાંકા લેવા પડતા હોય છે અને અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં પણ વધારો થાય છે. અનેક લોકોનો અકસ્માત થાય છે. પર્વને લઈ 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. 


108ની ટીમે વધારી એમ્બ્યુલન્સની સંખ્યા 

તહેવારને પગલે એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ એક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષીઓને પણ પતંગની દોરીને કારણે ઈજા પહોંચતી હોય છે. તેમને પણ સારવાર મળી રહે છે તે માટે કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.