સાપુતારામાં ભીષણ અકસ્માત, 2 મહિલા અને એક બાળકી સહિત 4 લોકોના કરૂણ મોત


  • Published By :
  • Published Date : 2024-01-04 19:33:01

રાજ્યના લોકપ્રિય પર્યટન સ્થળ સાપુતારામાં એક ખતરનાક માર્ગ અકસ્માતમાં  4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સાપુતારા પોલીસ દ્વારા ઘટના અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાંથી નાસીક તરફ બળતણંના લાકડા ભરી જતી ટ્રક ચાલક દ્વારા ટ્રકના સ્ટિયર્રીંગ પરનો કાબુ ગુમાવી જતા ટ્રક પલ્ટી મારી જવા પામી હતી. ટ્રક પલ્ટી જતા રસ્તા ઉપર આવી રહેલ ક્રેટા કારને ટ્રકે અડફેટ લીધી હતી. જેમા કારમા સવાર એક જ પરીવારના 4 વ્યક્તીઓના કરૂણ મોત નિપજ્યા હતા. કારમા સવાર એક બાળક, બે મહિલાઓ તેમજ એક પુરૂષનું જગ્યા સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમા ગમગીન વાતાવરણ બની જવા પામ્યુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં થયેલ ગંભીર અકસ્માતની જાણ સ્થાનિક સાપુતારા પોલીસ તેમજ નોટીફાઇ કચેરીને થતા તાત્કાલિક પોલીસકર્મીઓ તેમજ નોટીફાઇના કચેરીના સ્ટાફ દ્વારા ક્રેનની મદદથી કારમા બદાયેલ વ્યક્તીઓને બચાવવાની રાહત કામગીરી હાથ ધરવામા આવી હતી. કારમા સવાર એક મહિલા ગંભીર રીતના ઘાયલ થઇ હતી. જે ગંભીર થયેલ મહિલાને તાત્કાલિક નજીની હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે