પાટણમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક ડાઈવરે અચાનક બ્રેક મારતા સર્જાયો ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-06 16:25:30

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ઓવર સ્પીડને કારણે અનેક વખત લોકોના જીવ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર-પીપરાળા હાઈવે માર્ગ નં. 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેને કારણે ટ્રકમાં સવાર લોકો ચગદાઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.    

  

ત્રણેય ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર 

રાધનપુર-સાંતલપુર હાઈવે નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરે રસ્તા પર અચાનક બ્રેક મારી દીધી હતી જેને કારણે તેની પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઈવરોને બ્રેક મારવી પડી હતી. જેને કારણે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રકો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ તેમાંથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યો હતો. વચ્ચેની ટ્રકના ડ્રાઈવર-કંડકટર ઈજાગસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પૂરઝટપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની અંદર જ ચગદાઈ ગયા હતા. ત્રણેય ટ્રકના ભુક્કા બોલાઈ ગયા હતા.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.