પાટણમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક ડાઈવરે અચાનક બ્રેક મારતા સર્જાયો ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-06 16:25:30

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ઓવર સ્પીડને કારણે અનેક વખત લોકોના જીવ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર-પીપરાળા હાઈવે માર્ગ નં. 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેને કારણે ટ્રકમાં સવાર લોકો ચગદાઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.    

  

ત્રણેય ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર 

રાધનપુર-સાંતલપુર હાઈવે નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરે રસ્તા પર અચાનક બ્રેક મારી દીધી હતી જેને કારણે તેની પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઈવરોને બ્રેક મારવી પડી હતી. જેને કારણે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રકો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ તેમાંથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યો હતો. વચ્ચેની ટ્રકના ડ્રાઈવર-કંડકટર ઈજાગસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પૂરઝટપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની અંદર જ ચગદાઈ ગયા હતા. ત્રણેય ટ્રકના ભુક્કા બોલાઈ ગયા હતા.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.