પાટણમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક ડાઈવરે અચાનક બ્રેક મારતા સર્જાયો ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-06 16:25:30

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ઓવર સ્પીડને કારણે અનેક વખત લોકોના જીવ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર-પીપરાળા હાઈવે માર્ગ નં. 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેને કારણે ટ્રકમાં સવાર લોકો ચગદાઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.    

  

ત્રણેય ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર 

રાધનપુર-સાંતલપુર હાઈવે નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરે રસ્તા પર અચાનક બ્રેક મારી દીધી હતી જેને કારણે તેની પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઈવરોને બ્રેક મારવી પડી હતી. જેને કારણે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રકો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ તેમાંથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યો હતો. વચ્ચેની ટ્રકના ડ્રાઈવર-કંડકટર ઈજાગસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પૂરઝટપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની અંદર જ ચગદાઈ ગયા હતા. ત્રણેય ટ્રકના ભુક્કા બોલાઈ ગયા હતા.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.