પાટણમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક ડાઈવરે અચાનક બ્રેક મારતા સર્જાયો ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-06 16:25:30

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ઓવર સ્પીડને કારણે અનેક વખત લોકોના જીવ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર-પીપરાળા હાઈવે માર્ગ નં. 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેને કારણે ટ્રકમાં સવાર લોકો ચગદાઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.    

  

ત્રણેય ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર 

રાધનપુર-સાંતલપુર હાઈવે નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરે રસ્તા પર અચાનક બ્રેક મારી દીધી હતી જેને કારણે તેની પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઈવરોને બ્રેક મારવી પડી હતી. જેને કારણે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રકો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ તેમાંથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યો હતો. વચ્ચેની ટ્રકના ડ્રાઈવર-કંડકટર ઈજાગસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પૂરઝટપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની અંદર જ ચગદાઈ ગયા હતા. ત્રણેય ટ્રકના ભુક્કા બોલાઈ ગયા હતા.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.