દેશના આ રાજ્યોમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-29 10:14:13

અકસ્મતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થતા હોય છે. ત્યારે ગંભીર રોડ અકસ્માત આસામના ગુવાહટીમાં બન્યો છે જેમાં 7 જેટલા  લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય કર્ણાટકમાં પણ ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. 

  

આ મામલે પોલીસ કરી રહી છે તપાસ

રોડ અકસ્માતમાં અનેક પરિવારો પોતાના વ્હાલ સોયાને ગુમાવતા હોય છે. અકસ્માતમાં પરિવારજનના મોતથી પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ત્યારે આસામના ગુવાહાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત સાત જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે વિદ્યાર્થીઓ હતા. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. પ્રારંભિક તપાસ અનુસાર મૃતકો વિદ્યાર્થીઓ હતા અને આ દુર્ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની છે.        


કર્ણાટકમાં પણ સર્જાયો અકસ્માત! 

કર્ણાટકમાં પણ રોડ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કર્ણાટકના કોપ્પલ જિલ્લા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટ્રક સાથેની ટક્કર થતાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.મૃતકોમાં બે બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતી અને કારમાં તેઓ બેંગ્લુરૂ જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક ગુજરાત આવી રહી હતી. તે સમય દરમિયાન આ અકસ્માત થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ મૃતકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.