દેશના આ રાજ્યોમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-29 10:14:13

અકસ્મતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થતા હોય છે. ત્યારે ગંભીર રોડ અકસ્માત આસામના ગુવાહટીમાં બન્યો છે જેમાં 7 જેટલા  લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય કર્ણાટકમાં પણ ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. 

  

આ મામલે પોલીસ કરી રહી છે તપાસ

રોડ અકસ્માતમાં અનેક પરિવારો પોતાના વ્હાલ સોયાને ગુમાવતા હોય છે. અકસ્માતમાં પરિવારજનના મોતથી પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ત્યારે આસામના ગુવાહાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત સાત જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે વિદ્યાર્થીઓ હતા. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. પ્રારંભિક તપાસ અનુસાર મૃતકો વિદ્યાર્થીઓ હતા અને આ દુર્ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની છે.        


કર્ણાટકમાં પણ સર્જાયો અકસ્માત! 

કર્ણાટકમાં પણ રોડ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કર્ણાટકના કોપ્પલ જિલ્લા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટ્રક સાથેની ટક્કર થતાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.મૃતકોમાં બે બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતી અને કારમાં તેઓ બેંગ્લુરૂ જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક ગુજરાત આવી રહી હતી. તે સમય દરમિયાન આ અકસ્માત થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ મૃતકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.