Rajkotમાં ભીષણ રોડ અકસ્માત, દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, પિતા અને પુત્રની એકસાથે ઉઠશે અર્થી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-25 12:07:57

અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતને કારણે અનેક લોકોના પ્રાણ પંખેરૂ તો ઉડી જાય છે પરંતુ તેમની પાછળ તે આખા પરિવારને રડતા મૂકી દેતા હોય છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને અકસ્માતને કારણે ગુમાવ્યા હોય છે. પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટ ભાવનગર હાઈવે પર ખારચિયા નજીક સર્જાયો છે જેમાં ઘટના સ્થળ પર પિતા અને પુત્રના મોત થઈ ગયા છે. જ્યારે માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


ઘટના સ્થળ પર થયા પિતા અને પુત્રના મોત 

અનેક લોકોને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનો શોખ હોય છે. રસ્તા પર સ્ટંટ કરવા માટે પણ ઘણી વખત લોકો ઝડપમાં ગાડી ચલાવતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા હશે. કદાચ આપણામાંથી પણ અનેક લોકો એવા હશે જે પોતાની મોજ માટે ગાડીની ઓવરસ્પીડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ ઓવરસ્પીડિંગને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. અકસ્માતો પણ થતા હોય છે જેમાં લોકોના જીવ પણ જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી દિવસમાં એક-બે અકસ્માતોની ઘટનાઓ તો સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે. પૂર ઝડપે આવતી ટ્રકે બાઈક પર સવાર પરિવારને પોતાની અડફેટે લઈ લેતા પિતા અને પુત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક અકસ્માત

આ અકસ્માતને લઈ જે માહિતી સામે આવી છે તે મુજબ હરેશભાઈ પોતાના પરિવાર સાથે સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર હાઈવે પર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. બાઈક અને ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે 33 વર્ષીય હરેશભાઈ અને તેમનો 13 વર્ષનો દીકરો મોતને ભેટ્યા છે. ઘટના સ્થળ પર જ તેમના મોત થઈ ગયા છે. ટ્રકની અડફેટે આવતા પરિવાર આખો એવી રીતે ફંગોળાયો હતો જાણે હવામાં ફૂટબોલ ફંગોળાતો હોય. પિતા અને પુત્રની તો મૃત્યુ થઈ ગઈ પરંતુ તેમની પત્ની અને તેમની પુત્રીની હાલત અત્યંત ગંભીર છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.