Rajkotમાં ભીષણ રોડ અકસ્માત, દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, પિતા અને પુત્રની એકસાથે ઉઠશે અર્થી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-25 12:07:57

અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતને કારણે અનેક લોકોના પ્રાણ પંખેરૂ તો ઉડી જાય છે પરંતુ તેમની પાછળ તે આખા પરિવારને રડતા મૂકી દેતા હોય છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને અકસ્માતને કારણે ગુમાવ્યા હોય છે. પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટ ભાવનગર હાઈવે પર ખારચિયા નજીક સર્જાયો છે જેમાં ઘટના સ્થળ પર પિતા અને પુત્રના મોત થઈ ગયા છે. જ્યારે માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


ઘટના સ્થળ પર થયા પિતા અને પુત્રના મોત 

અનેક લોકોને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનો શોખ હોય છે. રસ્તા પર સ્ટંટ કરવા માટે પણ ઘણી વખત લોકો ઝડપમાં ગાડી ચલાવતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા હશે. કદાચ આપણામાંથી પણ અનેક લોકો એવા હશે જે પોતાની મોજ માટે ગાડીની ઓવરસ્પીડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ ઓવરસ્પીડિંગને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. અકસ્માતો પણ થતા હોય છે જેમાં લોકોના જીવ પણ જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી દિવસમાં એક-બે અકસ્માતોની ઘટનાઓ તો સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે. પૂર ઝડપે આવતી ટ્રકે બાઈક પર સવાર પરિવારને પોતાની અડફેટે લઈ લેતા પિતા અને પુત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક અકસ્માત

આ અકસ્માતને લઈ જે માહિતી સામે આવી છે તે મુજબ હરેશભાઈ પોતાના પરિવાર સાથે સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર હાઈવે પર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. બાઈક અને ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે 33 વર્ષીય હરેશભાઈ અને તેમનો 13 વર્ષનો દીકરો મોતને ભેટ્યા છે. ઘટના સ્થળ પર જ તેમના મોત થઈ ગયા છે. ટ્રકની અડફેટે આવતા પરિવાર આખો એવી રીતે ફંગોળાયો હતો જાણે હવામાં ફૂટબોલ ફંગોળાતો હોય. પિતા અને પુત્રની તો મૃત્યુ થઈ ગઈ પરંતુ તેમની પત્ની અને તેમની પુત્રીની હાલત અત્યંત ગંભીર છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.     



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."