Rajkotમાં ભીષણ રોડ અકસ્માત, દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, પિતા અને પુત્રની એકસાથે ઉઠશે અર્થી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 12:07:57

અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતને કારણે અનેક લોકોના પ્રાણ પંખેરૂ તો ઉડી જાય છે પરંતુ તેમની પાછળ તે આખા પરિવારને રડતા મૂકી દેતા હોય છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને અકસ્માતને કારણે ગુમાવ્યા હોય છે. પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટ ભાવનગર હાઈવે પર ખારચિયા નજીક સર્જાયો છે જેમાં ઘટના સ્થળ પર પિતા અને પુત્રના મોત થઈ ગયા છે. જ્યારે માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


ઘટના સ્થળ પર થયા પિતા અને પુત્રના મોત 

અનેક લોકોને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનો શોખ હોય છે. રસ્તા પર સ્ટંટ કરવા માટે પણ ઘણી વખત લોકો ઝડપમાં ગાડી ચલાવતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા હશે. કદાચ આપણામાંથી પણ અનેક લોકો એવા હશે જે પોતાની મોજ માટે ગાડીની ઓવરસ્પીડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ ઓવરસ્પીડિંગને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. અકસ્માતો પણ થતા હોય છે જેમાં લોકોના જીવ પણ જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી દિવસમાં એક-બે અકસ્માતોની ઘટનાઓ તો સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે. પૂર ઝડપે આવતી ટ્રકે બાઈક પર સવાર પરિવારને પોતાની અડફેટે લઈ લેતા પિતા અને પુત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક અકસ્માત

આ અકસ્માતને લઈ જે માહિતી સામે આવી છે તે મુજબ હરેશભાઈ પોતાના પરિવાર સાથે સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર હાઈવે પર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. બાઈક અને ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે 33 વર્ષીય હરેશભાઈ અને તેમનો 13 વર્ષનો દીકરો મોતને ભેટ્યા છે. ઘટના સ્થળ પર જ તેમના મોત થઈ ગયા છે. ટ્રકની અડફેટે આવતા પરિવાર આખો એવી રીતે ફંગોળાયો હતો જાણે હવામાં ફૂટબોલ ફંગોળાતો હોય. પિતા અને પુત્રની તો મૃત્યુ થઈ ગઈ પરંતુ તેમની પત્ની અને તેમની પુત્રીની હાલત અત્યંત ગંભીર છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.     



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.