ટાઈમર બોમ્બ લગાવી રાજકોટમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયો હતો બ્લાસ્ટ! જાણો આ મામલે કયો મોટો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-13 13:41:30

7 એપ્રિલે રાજકોટમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પોતાનું પાર્સલ દુકાનમાં રાખીને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પાર્સલને લેવા કોઈ આવ્યું ન હતું. દુકાનદારે એ પાર્સલ પોતાની દુકાન રાખી મુક્યું હતું અને દુકાન બંધ કરી જતા રહ્યા હતા. 

દુકાનમાં રહેલા બોક્સમાં બ્લાસ્ટ.

રાત્રિના સમયે દુકાનમાં થયો હતો ધડાકો! 

પરંતુ રાત્રિના સમયે અચાનક એક ધડાકો થયો અને દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થઈ ગયો, કેવી રીતે બંધ દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુ-ટ્યુબની મદદથી ટાઈમર બોમ્બ બનાવવાનું શિખવામાં આવ્યું, અને એ ટાઈમર બોમ્બનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધંધાકીય હરિફાઈમાં દેશી બોમ્બ બનાવીને દુકાનમાં બ્લાસ્ટ કરાયો છે.          

આગે દુકાનને લપેટમાં લઈ લીધી.

ધંધાકીય હરિફાઈને કારણે દુકાનમાં કરાયો બોમ્બ બ્લાસ્ટ!

સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં એક મહિલા દ્વારા રાખવામાં આવેલા પાર્સલને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઈમાં આ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત બે રાજસ્થાનની વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે