ટાઈમર બોમ્બ લગાવી રાજકોટમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયો હતો બ્લાસ્ટ! જાણો આ મામલે કયો મોટો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-13 13:41:30

7 એપ્રિલે રાજકોટમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પોતાનું પાર્સલ દુકાનમાં રાખીને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પાર્સલને લેવા કોઈ આવ્યું ન હતું. દુકાનદારે એ પાર્સલ પોતાની દુકાન રાખી મુક્યું હતું અને દુકાન બંધ કરી જતા રહ્યા હતા. 

દુકાનમાં રહેલા બોક્સમાં બ્લાસ્ટ.

રાત્રિના સમયે દુકાનમાં થયો હતો ધડાકો! 

પરંતુ રાત્રિના સમયે અચાનક એક ધડાકો થયો અને દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થઈ ગયો, કેવી રીતે બંધ દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુ-ટ્યુબની મદદથી ટાઈમર બોમ્બ બનાવવાનું શિખવામાં આવ્યું, અને એ ટાઈમર બોમ્બનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધંધાકીય હરિફાઈમાં દેશી બોમ્બ બનાવીને દુકાનમાં બ્લાસ્ટ કરાયો છે.          

આગે દુકાનને લપેટમાં લઈ લીધી.

ધંધાકીય હરિફાઈને કારણે દુકાનમાં કરાયો બોમ્બ બ્લાસ્ટ!

સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં એક મહિલા દ્વારા રાખવામાં આવેલા પાર્સલને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઈમાં આ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત બે રાજસ્થાનની વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.