ટાઈમર બોમ્બ લગાવી રાજકોટમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયો હતો બ્લાસ્ટ! જાણો આ મામલે કયો મોટો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-13 13:41:30

7 એપ્રિલે રાજકોટમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પોતાનું પાર્સલ દુકાનમાં રાખીને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પાર્સલને લેવા કોઈ આવ્યું ન હતું. દુકાનદારે એ પાર્સલ પોતાની દુકાન રાખી મુક્યું હતું અને દુકાન બંધ કરી જતા રહ્યા હતા. 

દુકાનમાં રહેલા બોક્સમાં બ્લાસ્ટ.

રાત્રિના સમયે દુકાનમાં થયો હતો ધડાકો! 

પરંતુ રાત્રિના સમયે અચાનક એક ધડાકો થયો અને દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થઈ ગયો, કેવી રીતે બંધ દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુ-ટ્યુબની મદદથી ટાઈમર બોમ્બ બનાવવાનું શિખવામાં આવ્યું, અને એ ટાઈમર બોમ્બનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધંધાકીય હરિફાઈમાં દેશી બોમ્બ બનાવીને દુકાનમાં બ્લાસ્ટ કરાયો છે.          

આગે દુકાનને લપેટમાં લઈ લીધી.

ધંધાકીય હરિફાઈને કારણે દુકાનમાં કરાયો બોમ્બ બ્લાસ્ટ!

સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં એક મહિલા દ્વારા રાખવામાં આવેલા પાર્સલને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઈમાં આ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત બે રાજસ્થાનની વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.