ટાઈમર બોમ્બ લગાવી રાજકોટમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયો હતો બ્લાસ્ટ! જાણો આ મામલે કયો મોટો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-13 13:41:30

7 એપ્રિલે રાજકોટમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પોતાનું પાર્સલ દુકાનમાં રાખીને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પાર્સલને લેવા કોઈ આવ્યું ન હતું. દુકાનદારે એ પાર્સલ પોતાની દુકાન રાખી મુક્યું હતું અને દુકાન બંધ કરી જતા રહ્યા હતા. 

દુકાનમાં રહેલા બોક્સમાં બ્લાસ્ટ.

રાત્રિના સમયે દુકાનમાં થયો હતો ધડાકો! 

પરંતુ રાત્રિના સમયે અચાનક એક ધડાકો થયો અને દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થઈ ગયો, કેવી રીતે બંધ દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુ-ટ્યુબની મદદથી ટાઈમર બોમ્બ બનાવવાનું શિખવામાં આવ્યું, અને એ ટાઈમર બોમ્બનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધંધાકીય હરિફાઈમાં દેશી બોમ્બ બનાવીને દુકાનમાં બ્લાસ્ટ કરાયો છે.          

આગે દુકાનને લપેટમાં લઈ લીધી.

ધંધાકીય હરિફાઈને કારણે દુકાનમાં કરાયો બોમ્બ બ્લાસ્ટ!

સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં એક મહિલા દ્વારા રાખવામાં આવેલા પાર્સલને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઈમાં આ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત બે રાજસ્થાનની વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.