40 ફૂટ ઉંંડી ખીણમાં ગાડી પડી જતા તમિલનાડુમાં સર્જાઈ દુર્ઘટના, 8 શ્રદ્ધાળુના મોત


  • Published By :
  • Published Date : 2022-12-24 10:15:44

તમિલનાડુમાં એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. થેની જિલ્લા નજીક ગાડીએ કાબૂ ગુમાવ્યો જેને કારણે ગાડી ખીણમાં ઘસી પડી. આ દુર્ઘટનાને કારણે ગાડીમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જાણકારી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ ગાડી 40 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને આઠ શ્રદ્ધાળુના મોત થયા છે. 

 

દર્શન કરી પરત ફરતી વખતે બની દુર્ઘટના 

રોડ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં અનેક વખત ગાડી ખીણમાં પડી જવાથી દુર્ઘટના સર્જાતી હોય છે. દિલને દહેલાવી દે  તેવી ઘટના તમિલનાડુ નજીક કુમુલી પર્વત પર બની છે.  40 ફૂટ ઉંડી ખીણમાં ગાડી ખાબકી જવાથી આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ગાડી પરનો કાબુ ગુમાવતા આ હાદસો બન્યો છે. આ ઘટનાની જાણ થતા થેની જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  આ ઘટનાની જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું કે સબરીમાલા મંદિરના દર્શન કરી દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં આઠ લોકો મોતને ભેટ્યા છે.    





અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.