40 ફૂટ ઉંંડી ખીણમાં ગાડી પડી જતા તમિલનાડુમાં સર્જાઈ દુર્ઘટના, 8 શ્રદ્ધાળુના મોત


  • Published By :
  • Published Date : 2022-12-24 10:15:44

તમિલનાડુમાં એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. થેની જિલ્લા નજીક ગાડીએ કાબૂ ગુમાવ્યો જેને કારણે ગાડી ખીણમાં ઘસી પડી. આ દુર્ઘટનાને કારણે ગાડીમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જાણકારી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ ગાડી 40 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને આઠ શ્રદ્ધાળુના મોત થયા છે. 

 

દર્શન કરી પરત ફરતી વખતે બની દુર્ઘટના 

રોડ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં અનેક વખત ગાડી ખીણમાં પડી જવાથી દુર્ઘટના સર્જાતી હોય છે. દિલને દહેલાવી દે  તેવી ઘટના તમિલનાડુ નજીક કુમુલી પર્વત પર બની છે.  40 ફૂટ ઉંડી ખીણમાં ગાડી ખાબકી જવાથી આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ગાડી પરનો કાબુ ગુમાવતા આ હાદસો બન્યો છે. આ ઘટનાની જાણ થતા થેની જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  આ ઘટનાની જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું કે સબરીમાલા મંદિરના દર્શન કરી દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં આઠ લોકો મોતને ભેટ્યા છે.    





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે