40 ફૂટ ઉંંડી ખીણમાં ગાડી પડી જતા તમિલનાડુમાં સર્જાઈ દુર્ઘટના, 8 શ્રદ્ધાળુના મોત


  • Published By :
  • Published Date : 2022-12-24 10:15:44

તમિલનાડુમાં એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. થેની જિલ્લા નજીક ગાડીએ કાબૂ ગુમાવ્યો જેને કારણે ગાડી ખીણમાં ઘસી પડી. આ દુર્ઘટનાને કારણે ગાડીમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જાણકારી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ ગાડી 40 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને આઠ શ્રદ્ધાળુના મોત થયા છે. 

 

દર્શન કરી પરત ફરતી વખતે બની દુર્ઘટના 

રોડ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં અનેક વખત ગાડી ખીણમાં પડી જવાથી દુર્ઘટના સર્જાતી હોય છે. દિલને દહેલાવી દે  તેવી ઘટના તમિલનાડુ નજીક કુમુલી પર્વત પર બની છે.  40 ફૂટ ઉંડી ખીણમાં ગાડી ખાબકી જવાથી આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ગાડી પરનો કાબુ ગુમાવતા આ હાદસો બન્યો છે. આ ઘટનાની જાણ થતા થેની જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  આ ઘટનાની જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું કે સબરીમાલા મંદિરના દર્શન કરી દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં આઠ લોકો મોતને ભેટ્યા છે.    





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.