ઉત્તરપ્રદેશમાં સર્જાઈ દુર્ઘટના, લખનઉમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાઈ


  • Published By :
  • Published Date : 2023-01-25 12:47:07

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. વઝીર હસન રોજ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં અંદાજીત ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક લોકો આ બિલ્ડીંગની નીચે ફસાયા પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


નાયબ મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

મંગળવારની રાત્રે લખનઉમાં એક બિલ્ડીંગ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ માળની બિલ્ડીંગ હોવાને કારણે અનેક લોકો આ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ઘટના સ્થળની મુલાકાત નાયબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી. 


તપાસ કમિટીની કરાશે રચના 

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે જે સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ કમિટીની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ  બાદ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ધરાથાયી થતા આ બિલ્ડીંગ નીચે અનેક લોકો ફસાયા છે જ્યારે અંદાજીત ત્રણ લોકોના મોત થયા છે. અંદાજીત 16 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે અને રેસ્ક્યુંનું કાર્ય ચાલી રહ્યું છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.