પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:43:48

દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  ગુરૂવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની વચ્ચે વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. 


વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કોઈ જગ્યાએ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો કોઈ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મુખ્યત્વે ખેડૂતો હતા. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમના મોત થઈ ગયા હતા. 


મૃતકોમાં ખેડૂતોની સંખ્યા વધારે હતી!

આ મામલે આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાને કારણે પૂરબ બર્ધમાન જિલ્લામાં ચાર, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાં 6 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મરનારમાં ખેડૂતો વધારે હતા. ખેતરમાં કામ કરતી વખતે આસમાની વીજળી વરસી અને તેમના મોત થઈ ગયા. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   


કમોસમી વરસાદને લઈ કરવામાં  આવેલી આગાહી!  

કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સિક્કિમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, રાજસ્થના અનેક વિસ્તારો, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં  આવી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.