પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:43:48

દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  ગુરૂવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની વચ્ચે વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. 


વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કોઈ જગ્યાએ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો કોઈ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મુખ્યત્વે ખેડૂતો હતા. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમના મોત થઈ ગયા હતા. 


મૃતકોમાં ખેડૂતોની સંખ્યા વધારે હતી!

આ મામલે આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાને કારણે પૂરબ બર્ધમાન જિલ્લામાં ચાર, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાં 6 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મરનારમાં ખેડૂતો વધારે હતા. ખેતરમાં કામ કરતી વખતે આસમાની વીજળી વરસી અને તેમના મોત થઈ ગયા. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   


કમોસમી વરસાદને લઈ કરવામાં  આવેલી આગાહી!  

કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સિક્કિમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, રાજસ્થના અનેક વિસ્તારો, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં  આવી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.