કર્ણાટકમાં નિર્માણ પામેલા મેટ્રોનો થાંભલો પડી જતા સર્જાઈ દુર્ઘટના, બે લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:10:24

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આઉટર રિંગ રોડ પર નિર્માણ પામતું મેટ્રોનો થાંભલો પડી ગયો છે. મેટ્રોનો થાંભલો પડી જવાથી એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 11 વાગ્યે બની હતી.

  

થાંભલો પડતા બે લોકો મોતને ભેટ્યા

બેંગલુરૂમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક દુર્ઘટના બની જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યાર અનુસાર આ ઘટના સવારે બની હતી. 


ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ 

સ્કૂટી પર અઢી વર્ષનું બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે નિર્માણ પામી રહેલી મેટ્રોનો થાંભલો તેમની પર પડી ગયો. થાંભલાની ઉંચાઈ 40 ફીટ હતી જ્યારે તેનું વજન પણ અનેક ટનનું હતું. ઉપરથી પડવાને કારણે બંને વ્યક્તિઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.   




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .