કર્ણાટકમાં નિર્માણ પામેલા મેટ્રોનો થાંભલો પડી જતા સર્જાઈ દુર્ઘટના, બે લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:10:24

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આઉટર રિંગ રોડ પર નિર્માણ પામતું મેટ્રોનો થાંભલો પડી ગયો છે. મેટ્રોનો થાંભલો પડી જવાથી એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 11 વાગ્યે બની હતી.

  

થાંભલો પડતા બે લોકો મોતને ભેટ્યા

બેંગલુરૂમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક દુર્ઘટના બની જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યાર અનુસાર આ ઘટના સવારે બની હતી. 


ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ 

સ્કૂટી પર અઢી વર્ષનું બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે નિર્માણ પામી રહેલી મેટ્રોનો થાંભલો તેમની પર પડી ગયો. થાંભલાની ઉંચાઈ 40 ફીટ હતી જ્યારે તેનું વજન પણ અનેક ટનનું હતું. ઉપરથી પડવાને કારણે બંને વ્યક્તિઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.