કર્ણાટકમાં નિર્માણ પામેલા મેટ્રોનો થાંભલો પડી જતા સર્જાઈ દુર્ઘટના, બે લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:10:24

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આઉટર રિંગ રોડ પર નિર્માણ પામતું મેટ્રોનો થાંભલો પડી ગયો છે. મેટ્રોનો થાંભલો પડી જવાથી એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 11 વાગ્યે બની હતી.

  

થાંભલો પડતા બે લોકો મોતને ભેટ્યા

બેંગલુરૂમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક દુર્ઘટના બની જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યાર અનુસાર આ ઘટના સવારે બની હતી. 


ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ 

સ્કૂટી પર અઢી વર્ષનું બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે નિર્માણ પામી રહેલી મેટ્રોનો થાંભલો તેમની પર પડી ગયો. થાંભલાની ઉંચાઈ 40 ફીટ હતી જ્યારે તેનું વજન પણ અનેક ટનનું હતું. ઉપરથી પડવાને કારણે બંને વ્યક્તિઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.