અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-01-17 08:47:15

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. કારમાં સવાર અમદાવાદનો ગોંડલિયા પરિવારને વડોદરાના વરણામા નજીક અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉપરાંત વરણામા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.  



ઘટના સ્થળે થયા ત્રણ લોકોના મોત 

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની સંખ્યા પણ વધી છે. નેશનલ હાઈવે પર વધારે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વડોદરા નજીક અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડયો છે. નેશનલ હાઈવે 48 પરના વરણામાં ગામ પાસે ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત 

મળતી માહિતી અનુસાર પૂર ઝડપથી આવી રહેલા કન્ટેનરે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે આ અકસ્માત થયો હતો. કન્ટેનર ગાડીની પાછળ ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .