અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-01-17 08:47:15

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. કારમાં સવાર અમદાવાદનો ગોંડલિયા પરિવારને વડોદરાના વરણામા નજીક અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉપરાંત વરણામા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.  



ઘટના સ્થળે થયા ત્રણ લોકોના મોત 

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની સંખ્યા પણ વધી છે. નેશનલ હાઈવે પર વધારે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વડોદરા નજીક અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડયો છે. નેશનલ હાઈવે 48 પરના વરણામાં ગામ પાસે ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત 

મળતી માહિતી અનુસાર પૂર ઝડપથી આવી રહેલા કન્ટેનરે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે આ અકસ્માત થયો હતો. કન્ટેનર ગાડીની પાછળ ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.