અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-01-17 08:47:15

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. કારમાં સવાર અમદાવાદનો ગોંડલિયા પરિવારને વડોદરાના વરણામા નજીક અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉપરાંત વરણામા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.  



ઘટના સ્થળે થયા ત્રણ લોકોના મોત 

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની સંખ્યા પણ વધી છે. નેશનલ હાઈવે પર વધારે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વડોદરા નજીક અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડયો છે. નેશનલ હાઈવે 48 પરના વરણામાં ગામ પાસે ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત 

મળતી માહિતી અનુસાર પૂર ઝડપથી આવી રહેલા કન્ટેનરે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે આ અકસ્માત થયો હતો. કન્ટેનર ગાડીની પાછળ ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.