Panchmahalમાં સર્જાઈ દુ:ખદ ઘટના, ખાડામાં ન્હાવા ગયેલા બાળકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-09-26 12:41:58

રમતા રમતા બાળકો એવી મસ્તી કરતા હોય છે જે તેમના પરિવારને ભારે પડી શકતી હોય છે. મસ્તીમાં મસ્તીમાં બાળકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓ કોઈ વખત તેમના માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે ઘોઘંબામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 



એક સાથે થયા ચાર બાળકોના મોત!

પોતાના દીકરાઓ દરેકને પોતાની જાન કરતા વ્હાલા હોય છે. બાળક ભવિષ્યનો સહારો બનશે તેવી દરેક માતા પિતાને આશા હોય છે. માતા-પિતાને મુખાગ્નિ સંતાનો આપે તેવી આશા માતા પિતાને હોય છે પરંતુ અનેક વખત એવું બનતું હોય કે પિતાએ પોતાના સંતાનને મુખાગ્નિ આપવી પડે છે. ત્યારે પંચમહાલમાં એક દુખદ દુર્ઘટના સર્જાઈ છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બાળકોના મોત ખાડામાં ડૂબી જવાને કારણે થયા છે જેને કારણે પરિવારમાં આક્રાંદ વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના નામ છે - સંજય બારીયા જેની ઉંમર 10 વર્ષની હતી. 9 વર્ષનો પરસોત્તમ બારીયાનું નિધન થયું છે. તે ઉપરાંત 11 વર્ષના રાહુલ બારીયાનું મોત પણ તળાવામાં ડૂબી જતા થયું છે. 11 વર્ષીય અંકિત બારીયા પણ મોતને ભેટ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.