Panchmahalમાં સર્જાઈ દુ:ખદ ઘટના, ખાડામાં ન્હાવા ગયેલા બાળકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-09-26 12:41:58

રમતા રમતા બાળકો એવી મસ્તી કરતા હોય છે જે તેમના પરિવારને ભારે પડી શકતી હોય છે. મસ્તીમાં મસ્તીમાં બાળકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓ કોઈ વખત તેમના માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે ઘોઘંબામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 



એક સાથે થયા ચાર બાળકોના મોત!

પોતાના દીકરાઓ દરેકને પોતાની જાન કરતા વ્હાલા હોય છે. બાળક ભવિષ્યનો સહારો બનશે તેવી દરેક માતા પિતાને આશા હોય છે. માતા-પિતાને મુખાગ્નિ સંતાનો આપે તેવી આશા માતા પિતાને હોય છે પરંતુ અનેક વખત એવું બનતું હોય કે પિતાએ પોતાના સંતાનને મુખાગ્નિ આપવી પડે છે. ત્યારે પંચમહાલમાં એક દુખદ દુર્ઘટના સર્જાઈ છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બાળકોના મોત ખાડામાં ડૂબી જવાને કારણે થયા છે જેને કારણે પરિવારમાં આક્રાંદ વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના નામ છે - સંજય બારીયા જેની ઉંમર 10 વર્ષની હતી. 9 વર્ષનો પરસોત્તમ બારીયાનું નિધન થયું છે. તે ઉપરાંત 11 વર્ષના રાહુલ બારીયાનું મોત પણ તળાવામાં ડૂબી જતા થયું છે. 11 વર્ષીય અંકિત બારીયા પણ મોતને ભેટ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.