મહારાષ્ટ્રના ભિવંડીમાં બે માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 11:41:25

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે માળની ઈમારત ધરાશઈ થઈ છે. ઈમારત પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે ખાદીપુર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતના ધરાશાઈના સમાચાર મળતા જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી.

  


ઈમારત પડી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત ઈમારતો ધરાશાઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભિવંડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. 


ઘટનામાં થયું એક વ્યક્તિનું મોત 

જ્યાં બિલ્ડીંગ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. બિલ્ડીંગ કેટલી જૂની હતી તે અંગેની જાણકારી નથી.પોલીસે દુર્ઘટનાને કારણે મોત થયું હોવાની વાતને ધ્યાનમાં રાખી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.