મહારાષ્ટ્રના ભિવંડીમાં બે માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 11:41:25

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે માળની ઈમારત ધરાશઈ થઈ છે. ઈમારત પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે ખાદીપુર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતના ધરાશાઈના સમાચાર મળતા જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી.

  


ઈમારત પડી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત ઈમારતો ધરાશાઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભિવંડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. 


ઘટનામાં થયું એક વ્યક્તિનું મોત 

જ્યાં બિલ્ડીંગ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. બિલ્ડીંગ કેટલી જૂની હતી તે અંગેની જાણકારી નથી.પોલીસે દુર્ઘટનાને કારણે મોત થયું હોવાની વાતને ધ્યાનમાં રાખી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.