મહારાષ્ટ્રના ભિવંડીમાં બે માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 11:41:25

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે માળની ઈમારત ધરાશઈ થઈ છે. ઈમારત પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે ખાદીપુર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતના ધરાશાઈના સમાચાર મળતા જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી.

  


ઈમારત પડી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત ઈમારતો ધરાશાઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભિવંડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. 


ઘટનામાં થયું એક વ્યક્તિનું મોત 

જ્યાં બિલ્ડીંગ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. બિલ્ડીંગ કેટલી જૂની હતી તે અંગેની જાણકારી નથી.પોલીસે દુર્ઘટનાને કારણે મોત થયું હોવાની વાતને ધ્યાનમાં રાખી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.