સુરતમાં બે વર્ષની બાળકીની કરાઈ હત્યા, બળાત્કાર પછી હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-28 17:20:03

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે માનવતાને શર્મસાર કરી દે તેવી હોય છે. બળાત્કારના કેસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં એક ઘટના બની છે જેમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોમવાર સાંજથી બાળકી ગુમ હતી જે બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકી તો મળી પરંતુ મૃત હાલતમાં. બાળકીના પરિવારનો આક્ષેપ છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાદ તેની હત્યા કરવામાં આવી છે.    


સોમવાર સાંજથી ગુમ હતી બાળકી 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માણસોની માનસિકતા દિવસેને દિવસે વિકૃત થઈ રહી છે. નાની નાની બાળકી હવસનો ભોગ બની રહી છે. દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવે છે. સુરતમાં એક ચકચારી ઘટના બની છે જેમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. સોમવાર સાંજથી બાળકીની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારને બાળકી નહીં પરંતુ તેની લાશ મળી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકી પર પહેલા દુષ્કર્મ થયું છે અને તે બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


કેવી રીતે બની ઘટના? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના છેવાડાના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની બાળકી પર બાજુમાં રહેલા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકી ઘર પાસે રમી રહી હતી જે દરમિયાન તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકી ઘરે પાછી ન આવતા પરિવારે શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકી ન મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

 

પોલીસે હાથ ધરી કાર્યવાહી 

ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળા તેના ઘર નજીક રહેતા શાહીદ અહમદ પટેલ નામના યુવાન સાથે જોવા મળી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસને બાળા કપ્લેથા ગામની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસે નરાધમને પકડી પાડયો હોવાની માહિતી સામે આવી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.