સુરતમાં બે વર્ષની બાળકીની કરાઈ હત્યા, બળાત્કાર પછી હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-28 17:20:03

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે માનવતાને શર્મસાર કરી દે તેવી હોય છે. બળાત્કારના કેસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં એક ઘટના બની છે જેમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોમવાર સાંજથી બાળકી ગુમ હતી જે બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકી તો મળી પરંતુ મૃત હાલતમાં. બાળકીના પરિવારનો આક્ષેપ છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાદ તેની હત્યા કરવામાં આવી છે.    


સોમવાર સાંજથી ગુમ હતી બાળકી 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માણસોની માનસિકતા દિવસેને દિવસે વિકૃત થઈ રહી છે. નાની નાની બાળકી હવસનો ભોગ બની રહી છે. દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવે છે. સુરતમાં એક ચકચારી ઘટના બની છે જેમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. સોમવાર સાંજથી બાળકીની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારને બાળકી નહીં પરંતુ તેની લાશ મળી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકી પર પહેલા દુષ્કર્મ થયું છે અને તે બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


કેવી રીતે બની ઘટના? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના છેવાડાના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની બાળકી પર બાજુમાં રહેલા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકી ઘર પાસે રમી રહી હતી જે દરમિયાન તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકી ઘરે પાછી ન આવતા પરિવારે શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકી ન મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

 

પોલીસે હાથ ધરી કાર્યવાહી 

ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળા તેના ઘર નજીક રહેતા શાહીદ અહમદ પટેલ નામના યુવાન સાથે જોવા મળી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસને બાળા કપ્લેથા ગામની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસે નરાધમને પકડી પાડયો હોવાની માહિતી સામે આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.