સુરતમાં બે વર્ષની બાળકીની કરાઈ હત્યા, બળાત્કાર પછી હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-28 17:20:03

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે માનવતાને શર્મસાર કરી દે તેવી હોય છે. બળાત્કારના કેસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં એક ઘટના બની છે જેમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોમવાર સાંજથી બાળકી ગુમ હતી જે બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકી તો મળી પરંતુ મૃત હાલતમાં. બાળકીના પરિવારનો આક્ષેપ છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાદ તેની હત્યા કરવામાં આવી છે.    


સોમવાર સાંજથી ગુમ હતી બાળકી 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માણસોની માનસિકતા દિવસેને દિવસે વિકૃત થઈ રહી છે. નાની નાની બાળકી હવસનો ભોગ બની રહી છે. દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવે છે. સુરતમાં એક ચકચારી ઘટના બની છે જેમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. સોમવાર સાંજથી બાળકીની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારને બાળકી નહીં પરંતુ તેની લાશ મળી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકી પર પહેલા દુષ્કર્મ થયું છે અને તે બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


કેવી રીતે બની ઘટના? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના છેવાડાના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની બાળકી પર બાજુમાં રહેલા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકી ઘર પાસે રમી રહી હતી જે દરમિયાન તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકી ઘરે પાછી ન આવતા પરિવારે શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકી ન મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

 

પોલીસે હાથ ધરી કાર્યવાહી 

ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળા તેના ઘર નજીક રહેતા શાહીદ અહમદ પટેલ નામના યુવાન સાથે જોવા મળી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસને બાળા કપ્લેથા ગામની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસે નરાધમને પકડી પાડયો હોવાની માહિતી સામે આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.