વિવાદોમાં ઘેરાયેલ લોકગાયક દેવાયત ખવડને યુકેના NRIએ મારી નાખવાની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:10:55

NRI જીતનું ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ તેમજ તેની સામે કાર્યવાહી કરવાની દેવાયત ખવડની માગ
જીત લાઈવ કરીને ધમકી આપી રહ્યો હોવાનો હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં ઉલ્લેખ
દેવાયત ખવડની અરજીઓ પર રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ

Book Devayat Khavad | Contact, Booking, Event | Live Clefs

રાજકોટના પ્રખ્યાત લોકકલાકાર દેવાયત ખવડે જીત નામનો યુકેમાં રહેતો NRI સોશિયલ મીડિયા પર તેમને ધમકી આપી રહ્યો હોવાનો આક્ષેપ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેમણે શખ્સ મનફાવે તેવા અપશબ્દો પણ કહી રહ્યો હોવાનું ઉમેર્યું હતું. અરજીમાં લોકકલાકારે NRIનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

દેવાયત ખવડ અને ધમકી આપનારની ફાઈલ તસવીર 

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ એ સામાન્ય વસ્તુઓ છે. માત્ર બોલિવુડ કે ટેલિવુડના સેલિબ્રિટી જ નહીં કેટલીકવાર નેતાઓ પણ કોઈ વાતને લઈને ટ્રોલ થઈ જાય છે. આવા જ ટ્રોલિંગથી કંટાળીને રાજકોટના જાણીતા લોકગાયક દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે, તેમણે યુનાઈટેડ કિંગ્ડમમાં રહેતા જીત નામના એનઆરઆઈ સામે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપમાનજક શબ્દોનો ઉપયોગ તેમજ ધમકી આપી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વકીલ ઉત્કર્ષ દવે દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની બે અરજીઓમાં, દેવાયત ખવડે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સસ્પેન્ડ કરવાની અને વિદેશથી તેમને ધમકી આપવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. રાજકોટમાં મોડાસિયા સામે નોંધાવેલી ફરિયાદો પર પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી હોવાથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હોવાની દલીલ લોકગાયકે કરી હતી.


દેવાયત ખવડને ધમકીઓ આપી રહ્યો છે NRI

દેવાયત ખવડે રજૂઆત કરી હતી કે, તેઓ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા ધરાવતા ગાયક છે અને સમાજમાં તેઓ આદરણીય વ્યક્તિ છે. તેમને સોશિયલ મીડિયા પર બદનામ અને અપમાનિત કરવા સિવાય ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરીને તે સતત ખવડને ધમકીઓ આપી રહ્યો છે અને દુર્વ્યવહાર કરી રહ્યો છે. લાઈવ-સ્ટ્રીમ્ડ વીડિયોને ભારત અને વિદેશમાં હજારો લોકો દ્વારા જોવામાં આવે છે. 'આરોપી સામે વધુ વિલંબ કર્યા વગર કડક પગલા લેવા જોઈએ કારણ કે તેની આ હરકતના કારણે અરજદાર માનસિક પીડામાં છે', તેમ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


દેવાયત ખવડે હાઈકોર્ટ સમક્ષ કરી બે અરજી

બીજી અરજીમાં ખવડે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દૂર કરવા અથવા સસ્પેન્ડ કરવાની અપીલ કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે, અકાઉન્ટ અને પ્રવૃતિઓ 'ભારતની સાર્વભૌમત્વ અને સ્થિરતા માટે ખતરો' છે. અરજીમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, લોકગાયક તરીકે દેવાયત ખવડ બહોળો ચાહક વર્ગ ધરાવે છે અને જીતના કારણે જો કોઈ અપ્રિય ઘટનાઓ બને તો તેમના ચાહકોની પ્રતિક્રિયા કેવી રહેશે તે અંગે આગાહી કરવી મુશ્કેલ છે. મોડાસિયાના અકાઉન્ટને સસ્પેન્ડ કરવા સિવાય ગાયકે તેના આઈડી પર શેર કરવામાં આવેલા વીડિયો અને રિલ્સ પણ દૂર કરવાની માગ કરી હતી. દિવાળી વેકેશન બાદ હાઈકોર્ટ આ અરજીઓ પર સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.