Rajkotમાં યુવાનોનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, રોલા પાડવા આ લોકો બીજાના જીવને મૂકે છે જોખમમાં!


  • Published By :
  • Published Date : 2024-01-31 14:50:17

સ્ટંટ કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. બાઈક પર બેઠેલો વ્યક્તિ કોઈ વખત છુટ્ટા હાથે ગાડી ચલાવે છે તો કોઈ વખત એટલી સ્પીડમાં ગાડી ચલાવે છે કે તેને જોઈ ટેન્શન થવા લાગે કે આ વાહનને કારણે અકસ્માત ન સર્જાય. થોડા સમય પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક જ વાહન પર પાંચ જેટલા લોકો બેઠા હતા ત્યારે ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વાહન પર છ જેટલા લોકો સવારી કરી રહ્યા છે. એક વ્યક્તિ ઉભો થઈ ગયો છે. 

રાજકોટથી સામે આવ્યો સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો 

અનેક વાહન ચાલકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને જોતા લાગે કે આ લોકો શું રસ્તાને બાપનો રસ્તો માને છે? અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્ટંટ કરતા લોકો બીજાના જીવને જોખમમાં મૂકે છે. એક તરફ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ બેફામ બનેલા લોકો અકસ્માત સર્જે છે. રાજકોટમાં કાલાવડ રોડ પર યુવાનોનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાલાવાડ રોડ અને મોટા મવા રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. 


એક જ વાહન પર અનેક લોકો કરી રહ્યા છે સવારી! 

સોશિયલ મીડિયા પર રીલ મૂકવા માટે અનેક વખત યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. રીલ મૂકી લાઈક મેળવવાની ઈચ્છા એટલી બધી હોય છે કે પોતાના જીવનને તો ઠીક પરંતુ બીજા જીવનને પણ જોખમમાં મૂકતા હોય છે. થોડા સમય પહેલા વડોદરાથી આવો વીડિયો સામે આવ્યો હતો જેમાં વાહન પર પાંચ લોકો સવારી કરતા દેખાયા હતા. લોકોમાં કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કાયદા જાણે તોડવા માટે જ બનાવાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેવું લાગે છે. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત વાયરલ થતા હોય છે. ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર લોકો જ નહીં પરંતુ પોલીસ પણ કરી રહી છે. 

અનેક વખત પોલીસ દ્વારા લેવામાં આવે છે સ્ટંટબાજો વિરૂદ્ધ એક્શન  

પોલીસ દ્વારા લોકો જાગૃત્ત થાય તે માટે અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે. કાયદા વિશે લોકો જાણે તે હેતુથી પોલીસ દ્વારા કાયદાની માહિતી શેર કરવામાં આવતી હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ આવા સ્ટંટ કરતા લોકોને પકડે છે તેમને કાયદાનું ભાન કરાવે છે. અનેક વખત પોલીસ દ્વારા આવા દંડાત્મક પગલા પણ કાયદો તોડનાર વિરૂદ્ધ કરવામાં આવ્યા છે.               



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.