Jamawatને એક દર્શકે મોકલ્યો વીડિયો જેમાં હાઈવે પર આવેલી હોટલમાં MRP કરતા વધારે રુપિયા ઉઘરાવાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 16:07:35

આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે કોઈ હોટલમાં નાસ્તા માટે બસને રોકવામાં આવે છે. હાઈવે પર જ્યારે કોઈ બસ ઉભી રહે ત્યારે અનેક લોકો પાણી, નાસ્તો અથવા તો ColdDrink લેવા માટે હોટલમાં જતા હોય છે. પરંતુ અનેક હોટલ એવી હોય છે, હાઈવે પર અનેક હોટલો હોય છે જે એમઆરપી કરતા વધારે રુપિયા ગ્રાહક પાસેથી વસુલતી હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા કોલ્ડ્રિંગનો વધારે રુપિયા લેવામાં આવ્યા. જે દર્શકે વીડિયો મોકલ્યો છે તેમના અનુસાર રોજકોટ જેતપુર રોડ પર આવેલી એક હોટલમાં એમઆરપી કરતા વધારે રૂપિયા લેવામાં આવ્યા છે.

ફિક્સ જગ્યા પર એસટી બસને રોકવામાં આવે છે! 

જમાવટને અનેક દર્શકો પોતાની સમસ્યા અથવા તો લોકો સાથે થતી છેતરપિંડી થતા હોવાના વીડિયો, સમાચાર મોકલતા હોય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં ઉઘાડી લૂંટ આચરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે રુપિયા લેવામાં આવ્યા છે. હાઈવે પર અનેક વખત હોટલ દ્વારા મનફાવે તેટલા રૂપિયા લેવામાં આવતા હોય છે. એસટી બસ જે હોટલમાં હોલ્ટ કરે છે તે પણ ફિક્સ હોય છે. ફિક્સ જગ્યા પર બસને રોકવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. 


એમઆરપી કરતા વસ્તુના વધારે લેવાય છે રુપિયા! 

ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. વીડિયોમાં સંભળાય છે કે એક વ્યક્તિ બોલી રહ્યા છે કે તેમને હોટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ભાવ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે તેમને એસટી વાળાને પૈસા આપવાના હોય છે.! એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે એમઆરપી કરતા કેમ વધારે ભાવ લેવામાં આવે છે...? થોડા સમય સુધી તો તે બોલતા નથી પરંતુ તે પછી પેલા વ્યક્તિ કહે છે કે હાઈવેનો ભાવ છે.. 

શું એસટી બસ વાળાને આપવું પડે છે કમિશન?

મહત્વનું છે કે આપણે પણ અનેક વખત જોયું હશે કે હાઈવે પર આવેલી હોટલ અનેક વખત એએમઆરપી કરતા વધારે ભાવ લેતી હોય છે. વધારે પૈસા પડાવતી હોય છે. આપણે પણ કદાચ વધારે ભાવ આપી દીધા હશે કંઈ પણ પૂછ્યા વગર. મનમાં આપણને પણ ખબર હોય છે કે હાઈવેને કારણે વધારે ભાવ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું વધારે ભાવ એટલા માટે લેવામાં આવે છે કારણ કે તેમને જીએસઆરટીસી વાળાને કમિશન આપવું પડે છે? પ્રશ્ન એ પણ થાય કે શા માટે એસટી બસ વાળા ફિક્સ કરેલી હોટલ પર બસ રોકી રાખે છે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી