Jamawatને એક દર્શકે મોકલ્યો વીડિયો જેમાં હાઈવે પર આવેલી હોટલમાં MRP કરતા વધારે રુપિયા ઉઘરાવાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 16:07:35

આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે કોઈ હોટલમાં નાસ્તા માટે બસને રોકવામાં આવે છે. હાઈવે પર જ્યારે કોઈ બસ ઉભી રહે ત્યારે અનેક લોકો પાણી, નાસ્તો અથવા તો ColdDrink લેવા માટે હોટલમાં જતા હોય છે. પરંતુ અનેક હોટલ એવી હોય છે, હાઈવે પર અનેક હોટલો હોય છે જે એમઆરપી કરતા વધારે રુપિયા ગ્રાહક પાસેથી વસુલતી હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા કોલ્ડ્રિંગનો વધારે રુપિયા લેવામાં આવ્યા. જે દર્શકે વીડિયો મોકલ્યો છે તેમના અનુસાર રોજકોટ જેતપુર રોડ પર આવેલી એક હોટલમાં એમઆરપી કરતા વધારે રૂપિયા લેવામાં આવ્યા છે.

ફિક્સ જગ્યા પર એસટી બસને રોકવામાં આવે છે! 

જમાવટને અનેક દર્શકો પોતાની સમસ્યા અથવા તો લોકો સાથે થતી છેતરપિંડી થતા હોવાના વીડિયો, સમાચાર મોકલતા હોય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં ઉઘાડી લૂંટ આચરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે રુપિયા લેવામાં આવ્યા છે. હાઈવે પર અનેક વખત હોટલ દ્વારા મનફાવે તેટલા રૂપિયા લેવામાં આવતા હોય છે. એસટી બસ જે હોટલમાં હોલ્ટ કરે છે તે પણ ફિક્સ હોય છે. ફિક્સ જગ્યા પર બસને રોકવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. 


એમઆરપી કરતા વસ્તુના વધારે લેવાય છે રુપિયા! 

ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. વીડિયોમાં સંભળાય છે કે એક વ્યક્તિ બોલી રહ્યા છે કે તેમને હોટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ભાવ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે તેમને એસટી વાળાને પૈસા આપવાના હોય છે.! એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે એમઆરપી કરતા કેમ વધારે ભાવ લેવામાં આવે છે...? થોડા સમય સુધી તો તે બોલતા નથી પરંતુ તે પછી પેલા વ્યક્તિ કહે છે કે હાઈવેનો ભાવ છે.. 

શું એસટી બસ વાળાને આપવું પડે છે કમિશન?

મહત્વનું છે કે આપણે પણ અનેક વખત જોયું હશે કે હાઈવે પર આવેલી હોટલ અનેક વખત એએમઆરપી કરતા વધારે ભાવ લેતી હોય છે. વધારે પૈસા પડાવતી હોય છે. આપણે પણ કદાચ વધારે ભાવ આપી દીધા હશે કંઈ પણ પૂછ્યા વગર. મનમાં આપણને પણ ખબર હોય છે કે હાઈવેને કારણે વધારે ભાવ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું વધારે ભાવ એટલા માટે લેવામાં આવે છે કારણ કે તેમને જીએસઆરટીસી વાળાને કમિશન આપવું પડે છે? પ્રશ્ન એ પણ થાય કે શા માટે એસટી બસ વાળા ફિક્સ કરેલી હોટલ પર બસ રોકી રાખે છે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.