રાજકોટમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક! પુત્રને CBSE ધો. 12માં સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનો ગયો પ્રાણ! માતમમાં ફેરવાયો પ્રસંગ


  • Published By :
  • Published Date : 2023-05-13 13:03:50

ગઈકાલે સીબીએસઈ ધોરણ 12નું અને ધોરણ 10નું પરિણામ આવ્યું હતું. અનેક વિદ્યાર્થીના સારા પરિણામ આવ્યા હતા. પોતાના બાળકનું સારૂ પરિણામ આવે તેવી ઝંખના માતા પિતાને રહેતી હોય છે. જો પરીક્ષામાં એમાં પણ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ આવે તો માતા પિતાને અલગ જ ખુશી થતી હોય છે. ત્યારે રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.


રાજકોટમાં હાર્ટ એટેકેને કારણે થયું મહિલાનું મોત!       

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ટીવી જોતા જોતા લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક મહિલાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે દુખને કારણે મોત થતું હોય છે પરંતુ આ કિસ્સામાં ખુશીને કારણે મહિલાનું મોત થયું છે. વાત એમ છે કે ગઈકાલે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. પુત્રને ધોરણ 12માં સારું પરિણામ આવતા પરિવારમાં જશ્નનો માહોલ હતો. 


ધોરણ 12માં પુત્રનું સારું પરિણામ આવતા માતાનું થયું મોત!    

માતા પિતાને પુત્રનું સારૂ પરિણામ આવતા આનંદનો અનુભવ થતો હોય છે. પરંતુ અનેક વખત ખુશી ઘાતક પણ સાબિત થતી હોય છે. આવી જ ઘટના રાજકોટની છે. રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પહેલા પણ સુરતમાં એક દિવસમાં બે વ્યક્તિના મોત હૃદય હુમલાને કારણે થયા હતા. દરરોજ અનેક લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.