રાજકોટમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક! પુત્રને CBSE ધો. 12માં સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનો ગયો પ્રાણ! માતમમાં ફેરવાયો પ્રસંગ


  • Published By :
  • Published Date : 2023-05-13 13:03:50

ગઈકાલે સીબીએસઈ ધોરણ 12નું અને ધોરણ 10નું પરિણામ આવ્યું હતું. અનેક વિદ્યાર્થીના સારા પરિણામ આવ્યા હતા. પોતાના બાળકનું સારૂ પરિણામ આવે તેવી ઝંખના માતા પિતાને રહેતી હોય છે. જો પરીક્ષામાં એમાં પણ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ આવે તો માતા પિતાને અલગ જ ખુશી થતી હોય છે. ત્યારે રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.


રાજકોટમાં હાર્ટ એટેકેને કારણે થયું મહિલાનું મોત!       

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ટીવી જોતા જોતા લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક મહિલાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે દુખને કારણે મોત થતું હોય છે પરંતુ આ કિસ્સામાં ખુશીને કારણે મહિલાનું મોત થયું છે. વાત એમ છે કે ગઈકાલે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. પુત્રને ધોરણ 12માં સારું પરિણામ આવતા પરિવારમાં જશ્નનો માહોલ હતો. 


ધોરણ 12માં પુત્રનું સારું પરિણામ આવતા માતાનું થયું મોત!    

માતા પિતાને પુત્રનું સારૂ પરિણામ આવતા આનંદનો અનુભવ થતો હોય છે. પરંતુ અનેક વખત ખુશી ઘાતક પણ સાબિત થતી હોય છે. આવી જ ઘટના રાજકોટની છે. રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પહેલા પણ સુરતમાં એક દિવસમાં બે વ્યક્તિના મોત હૃદય હુમલાને કારણે થયા હતા. દરરોજ અનેક લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે