રાજકોટમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક! પુત્રને CBSE ધો. 12માં સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનો ગયો પ્રાણ! માતમમાં ફેરવાયો પ્રસંગ


  • Published By :
  • Published Date : 2023-05-13 13:03:50

ગઈકાલે સીબીએસઈ ધોરણ 12નું અને ધોરણ 10નું પરિણામ આવ્યું હતું. અનેક વિદ્યાર્થીના સારા પરિણામ આવ્યા હતા. પોતાના બાળકનું સારૂ પરિણામ આવે તેવી ઝંખના માતા પિતાને રહેતી હોય છે. જો પરીક્ષામાં એમાં પણ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ આવે તો માતા પિતાને અલગ જ ખુશી થતી હોય છે. ત્યારે રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.


રાજકોટમાં હાર્ટ એટેકેને કારણે થયું મહિલાનું મોત!       

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ટીવી જોતા જોતા લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક મહિલાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે દુખને કારણે મોત થતું હોય છે પરંતુ આ કિસ્સામાં ખુશીને કારણે મહિલાનું મોત થયું છે. વાત એમ છે કે ગઈકાલે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. પુત્રને ધોરણ 12માં સારું પરિણામ આવતા પરિવારમાં જશ્નનો માહોલ હતો. 


ધોરણ 12માં પુત્રનું સારું પરિણામ આવતા માતાનું થયું મોત!    

માતા પિતાને પુત્રનું સારૂ પરિણામ આવતા આનંદનો અનુભવ થતો હોય છે. પરંતુ અનેક વખત ખુશી ઘાતક પણ સાબિત થતી હોય છે. આવી જ ઘટના રાજકોટની છે. રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પહેલા પણ સુરતમાં એક દિવસમાં બે વ્યક્તિના મોત હૃદય હુમલાને કારણે થયા હતા. દરરોજ અનેક લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.