રાજકોટમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક! પુત્રને CBSE ધો. 12માં સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનો ગયો પ્રાણ! માતમમાં ફેરવાયો પ્રસંગ


  • Published By :
  • Published Date : 2023-05-13 13:03:50

ગઈકાલે સીબીએસઈ ધોરણ 12નું અને ધોરણ 10નું પરિણામ આવ્યું હતું. અનેક વિદ્યાર્થીના સારા પરિણામ આવ્યા હતા. પોતાના બાળકનું સારૂ પરિણામ આવે તેવી ઝંખના માતા પિતાને રહેતી હોય છે. જો પરીક્ષામાં એમાં પણ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ આવે તો માતા પિતાને અલગ જ ખુશી થતી હોય છે. ત્યારે રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.


રાજકોટમાં હાર્ટ એટેકેને કારણે થયું મહિલાનું મોત!       

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ટીવી જોતા જોતા લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક મહિલાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે દુખને કારણે મોત થતું હોય છે પરંતુ આ કિસ્સામાં ખુશીને કારણે મહિલાનું મોત થયું છે. વાત એમ છે કે ગઈકાલે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. પુત્રને ધોરણ 12માં સારું પરિણામ આવતા પરિવારમાં જશ્નનો માહોલ હતો. 


ધોરણ 12માં પુત્રનું સારું પરિણામ આવતા માતાનું થયું મોત!    

માતા પિતાને પુત્રનું સારૂ પરિણામ આવતા આનંદનો અનુભવ થતો હોય છે. પરંતુ અનેક વખત ખુશી ઘાતક પણ સાબિત થતી હોય છે. આવી જ ઘટના રાજકોટની છે. રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પહેલા પણ સુરતમાં એક દિવસમાં બે વ્યક્તિના મોત હૃદય હુમલાને કારણે થયા હતા. દરરોજ અનેક લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.